અમરાવતી હત્યાકાંડની તપાસ કરશે NIA, નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ થઇ હતી હત્યા
આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે તેને 5 જુલાઈ સુધી પોલીસ (Police) કસ્ટડીમાં મોકલી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ NIAને મહારાષ્ટ્રના અમરાવતીના એક કેમિસ્ટની હત્યાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ સોશિયલ મીડિયા પર ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma)ના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. જે બાદ તેને ધમકીઓ મળવા લાગી હતી. 21 જૂને તેમની હત્યા કરવામાં આવી હતી. NIA એ શોધી કાઢશે કે અમરાવતીની આ હત્યાનો સંબંધ ઉદયપુરના દરજી (Amravati Shop Owner Umesh Kolhe killing) કન્હૈયાલાલની હત્યા સાથે છે કે કેમ. દરમિયાન, આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે તેને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
NIAની ટીમ તપાસ માટે અમરાવતી પહોંચી છે. ભાજપના નેતા અનિલ બોંડેએ અમરાવતીમાં કેમિસ્ટની હત્યા અને ઉદયપુરમાં દરજીની હત્યાને સમાન ગણાવી છે. જે રીતે ઉદયપુરના કન્હૈયા લાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, એ જ રીતે ઉમેશ કોલ્હેનું પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. સાંસદ અનિલ બોંડેના જણાવ્યા અનુસાર, ઉમેશ કોલ્હેએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી નુપુર શર્માની કેટલીક પોસ્ટ વાયરલ કરી હતી.
NIAએ શરૂ કરી તપાસ
પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે. પરંતુ આ હત્યાના માસ્ટર માઈન્ડને શોધવા માટે SIT તપાસની પણ ભાજપ દ્વારા માગ કરવામાં આવી હતી. એટીએસ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ માહિતી એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. ભાજપે વારંવાર દાવો કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે NIAને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે તે ઉદયપુર જેવો હત્યાનો કેસ છે.
સાંસદ નવનીત રાણાએ પોલીસના વલણ પર ઉઠાવ્યા સવાલ, અમિત શાહને લખ્યો પત્ર
અત્યાર સુધી મહારાષ્ટ્ર પોલીસની તપાસ લૂંટના ઈરાદે હત્યાની દિશામાં જઈ રહી હતી. પરંતુ લૂંટના ઈરાદે કરાયેલી હત્યામાં પાંચથી વધુ લોકો સામેલ ન હોઈ શકે. બે લોકો મુખ્ય સૂત્રધાર હોવાનો મામલો સામે આવી રહ્યો છે. બાકીનો સીધો સંબંધ હત્યા સાથે હોવાની વાત કરવામાં આવી રહી છે. અમરાવતીના સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાનો દાવો છે કે મામલાને દબાવવા માટે પોલીસે તેને લૂંટના ઈરાદે હત્યાનો કેસ બનાવ્યો છે. અમરાવતીના સાંસદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગણી કરી છે કે પોલીસ કમિશનર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હવે આ મામલાની તપાસ NIA દ્વારા હાથ ધરવામાં આવી છે. સત્ય બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.