કોંગ્રેસીઓએ ભારત જોડો યાત્રા માટે શાકભાજી વિક્રેતાઓ પાસેથી 2-2 હજાર માગ્યા, ન આપ્યા તો કરી તોડફોડ
કેરળ(Keral)ના કોલ્લમમાં એસ ફવાઝ નામની વ્યક્તિની શાકભાજીની દુકાન છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન કોંગ્રેસ (Congress)કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને ભારત જોડો યાત્રામાં આર્થિક સહયોગના નામે તેમની પાસેથી બળજબરીથી પૈસાની માંગણી કરી.
કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રા (Bharat Jodo yatra)હાલ કેરળમાં ચાલી રહી છે. દક્ષિણના રાજ્યોમાંથી થઈને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નેતૃત્વમાં આ યાત્રા ઉત્તરના રાજ્યોમાં પહોંચશે. જો કે આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. પરંતુ સાથે જ કોંગ્રેસ પર આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ મામલો કેરળમાં જ સામે આવ્યો છે. કેરળના કોલ્લમના એક શાકભાજી વિક્રેતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારત જોડો યાત્રા માટે તેમની પાસેથી બળજબરીથી 2000 રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે કાર્યવાહી કરતા કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે પાર્ટીના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે.
કેરળના કોલ્લમમાં એસ ફવાઝ નામની વ્યક્તિની શાકભાજીની દુકાન છે. તે કહે છે કે તે હંમેશની જેમ તેની દુકાને હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને ભારત જોડો યાત્રામાં આર્થિક સહયોગના નામે તેમની પાસેથી બળજબરીથી પૈસાની માંગણી કરી. આના પર તેણે 500 રૂપિયા આપ્યા. પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ 2000 રૂપિયાની માંગણી કરી હતી.
દુકાનનું શાક ફેંક્યું: દુકાનદાર
શાકભાજી વેચનારનો આરોપ છે કે જ્યારે તેણે 2000 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ તેની દુકાનમાં તોડફોડ કરી. તેમનું કહેવું છે કે તેમની દુકાનમાં રાખેલ વજનનું મશીન તૂટી ગયું હતું. આ સાથે દુકાનમાં રાખેલ તમામ શાકભાજી પણ ફેંકી દેવામાં આવ્યા હતા. તેણે કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોએ પણ તેને ધમકી આપી છે.કોંગ્રેસના કેરળ એકમના વડા કે સુધાકરણે આ મામલામાં ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે અને કહ્યું છે કે આ કાર્યકરોની વિચારધારા પાર્ટીની વિચારધારાથી અલગ છે. તેમણે કહ્યું કે પાર્ટી નાનું દાન સ્વૈચ્છિક લે છે, અને અન્યોની જેમ કોર્પોરેટ સેક્ટરમાંથી મોટું દાન લેતું નથી.
Kerala | Vegetable shop owner threatened by Congress workers for not contributing Rs 2000 in fund collection for ‘Bharat Jodo Yatra’ in Kollam
(Photo source: Screenshot from viral video) pic.twitter.com/vzQaRWqwiB
— ANI (@ANI) September 16, 2022
ભારત જોડો યાત્રા આગળ વધી છે
બીજી તરફ, જો આપણે ભારત જોડો યાત્રાની વાત કરીએ, તો તે એક દિવસના આરામ પછી કેરળના કોલ્લમ જિલ્લાના પોલયાથોડુથી શુક્રવારે ફરી શરૂ થઈ છે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વી ડી સથેશન, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રમેશ ચેન્નીથલા અને કે મુરલીધર, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP)ના નેતા એનકે પ્રેમચંદ્રન ગાંધીની સાથે પદયાત્રામાં નીકળ્યા હતા.
રમેશે ટ્વીટ કર્યું છે કે એક દિવસના આરામ બાદ આજે સવારે 7.45 વાગ્યે કોલ્લમથી ભારત જોડી યાત્રા ફરી શરૂ થઈ છે. આજે સવારે 13 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે અને તે પછી નીંદકરાના બીચ પર એક નાનો હોલ્ટ હશે. બપોરે કાજુ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો, કાજુ ઉદ્યોગકારો, ટ્રેડ યુનિયનો અને આરએસપી અને ફોરવર્ડ બ્લોકના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવશે.