Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત
આ દરમિયાન પોલીસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસની વાનમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. આ ઘટના વીડિયો હાલમાં સામે આવ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. આજે મંગળવારે કોંગ્રેસના નેતાઓએ લાલ કિલ્લા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસની વાનમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. આ ઘટના વીડિયો હાલમાં સામે આવ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને લાલ કિલ્લા પાસે વિરોધ પ્રદર્શન અને કૂચ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. જેના કારણે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ ઉત્તરાખંડના પૂર્વ સીએમએ તેને લોકશાહીની હત્યા ગણાવી છે.
કોંગ્રેસના નેતાઓની અટકાયત
Congress takes out protest march from Red Fort to Town Hall in Chandni Chowk.
Many Congress leaders were detained by Delhi Police#DisqualifiedByUnqualified pic.twitter.com/WQTgH07p9g
— Dis’Qualified Satyam |…. (@SatyamInsights) March 28, 2023
राहुल गांधी जिंदाबाद ✊@RahulGandhi pic.twitter.com/N5PhB5Jc3m
— Nattasha Sharrma नत्ताशा शर्मा🇮🇳 (@Nattashasharrma) March 28, 2023
दिल्ली: पुलिस ने मशाल मार्च निकाल रहे कांग्रेस नेताओं और कार्यकर्ताओं को हिरासत में लिया।
कांग्रेस के वरिष्ठ नेता हरीश रावत ने कहा, “ये लोकतंत्र की हत्या है। हमने मशालें जलाई जिन्हें पुलिस ने बुझाने का काम किया। लेकिन हम दिल की मशाल जलाएंगे, हर जुलूम से लड़ेंगे।” pic.twitter.com/dBueimavTu
— ANI_HindiNews (@AHindinews) March 28, 2023
આ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને નેતાઓ મંગળવારે સાંજે 7 વાગ્યે લાલ કિલ્લાથી ટાઉન હોલ સુધી ‘લોકતંત્ર બચાવો મશાલ શાંતિ માર્ચ’માં ભાગ લેશે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી 30 દિવસમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારી સાથે દેશભરમાં ‘જય ભારત સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવશે.
સંસદ સદસ્યતા જતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઈલમાં કર્યો બદલાવ
રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…