કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી માગ, જાતીય સતામણી કેસમાં તપાસ બાદ યોગ્ય પગલા લો

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સિંહને WFI માંથી કાઢી મૂકવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે તેઓ મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે. નકુલ દુબેએ ગુરુવારે કહ્યું કે, WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી માગ, જાતીય સતામણી કેસમાં તપાસ બાદ યોગ્ય પગલા લો
Priyanka GandhiImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 7:51 PM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આ બાબતની તપાસ થવી જોઈએ અને જો દોષી સાબિત થાય તો જરૂરી પગલાં લેવા જોઈએ. બે ઓલિમ્પિક મેડલ વિજેતા સહિત મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા છે. જેને લઈને ફેડરેશનના ઘણા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે મોરચો ખોલ્યો છે, જેમાં પ્રખ્યાત રેસલર બજરંગ પુનિયા પણ સામેલ છે.

આરોપોની તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, અમારા ખેલાડીઓ દેશનું ગૌરવ છે. તેઓ વિશ્વ સ્તરે તેમના પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધારે છે. ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ પર શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ખેલાડીઓનો અવાજ સાંભળવો જોઈએ. આરોપોની તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો : બ્રિજ ભૂષણ સિંહની હકાલપટ્ટી પાક્કી, અયોધ્યામાં લેવાશે મોટો નિર્ણયઃ સૂત્રો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી સાંસદ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા જાતીય સતામણીના આરોપો વચ્ચે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને તેમની હકાલપટ્ટીની માગ કરી છે. બ્રિજ ભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે.

બ્રિજ ભૂષણને બરતરફ કરવા જોઈએ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ સિંહને ડબલ્યુએફઆઈમાંથી કાઢી મૂકવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે તેઓ મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી નકુલ દુબેએ ગુરુવારે કહ્યું કે, WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે. તેમજ ભાજપે તેમની સામે કાર્યવાહી કરીને સાબિત કરવું જોઈએ કે બેટી બચાવો જેવા નારા માત્ર પ્રચાર માટે નથી.

વડાપ્રધાને જાતીય સતામણીના કેસમાં સંજ્ઞાન લેવું જોઈએ

આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સિંહ સાજને કહ્યું કે, આ સમાચારમાં સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે જે છોકરીઓ આપણા દેશ માટે ઓલિમ્પિક અને અન્ય સ્પર્ધાઓમાં રમે છે તેઓ આજે તેમના જાતીય સતામણીનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દા પર ધ્યાન આપે અને બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક હટાવે, તેમની સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે.

ઈનપુટ – ભાષા

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">