AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સમયે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસ શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસ 24મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ અને 27મી ડિસેમ્બરે મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.

અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2024 | 1:26 PM
Share

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામેનો વિરોધ હજુ પણ સમાપ્ત નથી થઈ રહ્યો. આ નિવેદનના વિરોધ દરમિયાન સંસદમાં પણ હંગામો જોવા મળ્યો હતો. કોંગ્રેસ આ મામલાને કોઈપણ રીતે ખતમ થતો જોવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે આ નિવેદનના વિરોધમાં દેશભરમાં એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. 24મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ કાઢવાની સાથે કોંગ્રેસ 27મી ડિસેમ્બરે બેલગાવીમાં એક મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.

કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, વર્તમાન સમયમાં બંધારણની પ્રાસંગિકતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંસદમાં તેના પર ચર્ચાની માંગ કરી હતી. ભાજપે કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય સંસદમાં અમિત શાહના નિવેદનથી તમામ નેતાઓ દુખી થયા છે. તેમણે કહ્યું કે અમિત શાહે, બાબા સાહેબનું અપમાન કર્યું છે.

તેમણે કહ્યું કે હજુ સુધી આ મામલે અમિત શાહ કે પીએમ મોદીએ આંબેડકર મુદ્દે કરાયેલા ઉચ્ચારણો અંગે માફી માંગવામાં આવી નથી. આ જ કારણ છે કે હવે કોંગ્રેસ માફી માંગવા માટે સમગ્ર દેશમાં આ મુદ્દો ઉઠાવવા જઈ રહી છે.

કોંગ્રેસ આંબેડકર સન્માન કૂચ કાઢશે

ડૉ. આંબેડકરના અપમાનના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી 24મી ડિસેમ્બરે દેશભરમાં આંબેડકર સન્માન માર્ચ કાઢશે. આ માહિતી કેન્દ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે આપી છે. કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાને આંબેડકર સન્માન માર્ચ નામ આપવામાં આવ્યું છે.

આ કૂચ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના જિલ્લાઓ અને વિધાનસભા ક્ષેત્રોમાં પત્રકારો સાથે વાત કરશે અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે.

કોંગ્રેસ રાજીનામાની માંગ કરી રહી છે

આપને જણાવી દઈએ કે આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કથિત નિવેદન બાદ કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે અને શાહના રાજીનામાની માંગ કરી રહી છે, પરંતુ અમિત શાહે કોંગ્રેસની માંગને ફગાવી દીધી છે અને કોંગ્રેસને દલિત વિરોધી અને આંબેડકર વિરોધી ગણાવી છે .

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">