તેલના ભાવમાં ન થયો ઘટાડો, ખાદ્ય તેલ પર આયાત ડયૂટીમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને નથી મળી રહ્યો
છેલ્લા બે-ત્રણ મહિનામાં સરકારે સોયાબીન પરની આયાત ડ્યૂટીમાં લગભગ 38 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો કર્યો છે, જેનો યોગ્ય લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી.
વિદેશી બજારોમાં તેજીના વલણ વચ્ચે તેલ-તેલીબિયા બજારમાં સરસવ, સોયાબીન, કપાસિયા સહિત વિવિધ ખાદ્ય તેલ-તેલીબિયાના ભાવમાં બુધવારે સુધારો થયો હતો. મગફળી સહિત અન્ય તેલીબિયાના ભાવ યથાવત રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે દેશમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો થયા બાદ વિદેશમાં તેલ અને તેલીબિયાંના ભાવમાં મજબૂતીના કારણે અહીં વધારો જોવા મળી રહ્યો છે.
ડ્યૂટીમાં ઘટાડા પહેલા, વાયદાના વેપારમાં ઓક્ટોબરમાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત 115 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હાલમાં 113.50 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે આયાત ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ કિલો ઘટાડી દેવામાં આવી છે. તેનાથી ગ્રાહકોને કોઈ ખાસ લાભ મળ્યો નથી, તેનાથી વિપરીત, સરકારે આવક ગુમાવી છે. મલેશિયા એક્સચેન્જ મજબૂત થવાના કારણે સીપીઓ અને પામોલિન તેલના ભાવમાં વધારો થયો છે.
તેલીબિયાંનું ઉત્પાદન વધારવું એ એક માત્ર વિકલ્પ સૂત્રોએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર બનવા માટે ડ્યુટીમાં વધારા-ઘટાડાને બદલે તેલીબિયાંનું ઉત્પાદન વધારવું એ જ એક માત્ર વિકલ્પ હોઈ શકે છે. સરકારે ડ્યૂટીમાં ફેરફાર કરવાને બદલે ગરીબ લોકોને રાહત આપવી હોય તો તેલની આયાત કરવી જોઈએ અને તેમને સીધા PDS મારફતે ખાદ્ય તેલ પૂરું પાડવું જોઈએ. કારણ કે આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ છૂટક બજારમાં ભાવો પહેલાની જેમ જ યથાવત રહ્યા છે અને ગ્રાહકોને કોઈ ખાસ લાભ મળતો નથી. પરંતુ જો પીડીએસ દ્વારા તેલ ઉપલબ્ધ થાય તો ગરીબ લોકોને તેનો સીધો લાભ મળી શકે છે.
છેલ્લા બે-ત્રણ મહિનામાં સરકારે સોયાબીન પરની આયાત ડ્યૂટીમાં લગભગ 38 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો કર્યો છે, જેનો યોગ્ય લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. તેલીબિયાંના ઉત્પાદક ખેડૂતોને પણ તેલીબિયાના ભાવની અનિશ્ચિતતાને કારણે આંચકો લાગે છે. તહેવારો અને શિયાળાની વધતી માગ વચ્ચે સરસવની અછત છે. સરસવની ઉપલબ્ધતા માગના અડધાથી પણ ઓછી છે. ગરીબ લોકો સરસવ છોડીને પામોલીન ખાઈ રહ્યા છે અને હવે તેમને આગામી પાક પછી જ સરસવ મળશે.
સરસવનો ભાવ વધીને 9350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો સરસવનો ભાવ 9,200 રૂપિયાથી વધીને 9,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. વર્તમાન સિઝનમાં સરસવના અનુભવમાંથી બોધપાઠ લેતા સરકારે સરસવના આગામી પાકની ખરીદી દરમિયાન આ તેલીબિયાંનો 5-10 લાખ ટનનો કાયમી સ્ટોક જાળવવો જોઈએ કારણ કે સરસવ બેથી ત્રણ વર્ષ માટે બગડતા નથી.
પંજાબ અને હરિયાણાની માગને કારણે કપાસિયા તેલના ભાવ પણ સુધારા સાથે બંધ થયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સીંગતેલ પ્રચલિત છે અને ઉત્તર ભારતમાં તેની માગ ખૂબ ઓછી છે. સામાન્ય કારોબાર વચ્ચે સીંગતેલ અને તેલીબિયાના ભાવ યથાવત રહ્યા હતા. કેટલાક તેલીબિયાંના પાક (મગફળી અને સોયાબીન) ને કમોસમી વરસાદને કારણે અસર થઈ હોવાના અહેવાલ છે, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વાવેલા સરસવના પાકનો મોટો વિસ્તાર પ્રભાવિત થયો હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો : શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે
આ પણ વાંચો : Mandi ભાવનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ