AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ

CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ
Tejashwi Yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 5:32 PM
Share

આઈઆરસીટીસી (IRCTC) કૌભાંડ કેસમાં સીબીઆઈએ (CBI) બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. સીબીઆઈએ આ કેસમાં તેમને આપવામાં આવેલા જામીન રદ કરવાની માગ કરી છે. CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

તમને જણાવી દઈએ કે, IRCTC કૌભાંડ કેસમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમની માતા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને 2018માં જામીન મળ્યા હતા. તેજસ્વી યાદવ હાલ જામીન પર બહાર છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. CBI તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ગઈ છે. સીબીઆઈએ કોર્ટ પાસે માગ કરી છે કે તેજસ્વી યાદવના જામીન રદ કરવામાં આવે. હાલ તેઓ બિહારના નાયબ મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં સાક્ષીઓને પણ ધમકાવવામાં આવી શકે છે.

આ કેસમાં કુલ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા

તમને એ પણ જણાવી દઈએ કે IRCTC કૌભાંડમાં CBIએ 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ તમામ લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં સીબીઆઈની સાથે ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સંપૂર્ણ રીતે ઘેરાયેલો છે. ચાર્જશીટમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામ પણ સામેલ છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ કૌભાંડ આઈઆરસીટીસી હોટલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કેસ સાથે સંબંધિત છે, જેમાં સીબીઆઈએ 12 લોકો અને બે કંપનીઓ પર આરોપ લગાવ્યા હતા. બિહારની રાજધાની પટનામાં મુખ્ય સ્થાન પર ત્રણ એકરના કોમર્શિયલ પ્લોટના સ્વરૂપમાં લાંચમાં સામેલ ખાનગી પેઢીને 2006માં રાંચી અને ઓડિશાના પુરીમાં બે IRCTC હોટેલોના કોન્ટ્રાક્ટ ફાળવવામાં કથિત અનિયમિતતાઓ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને તેના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">