AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ

CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ
Tejashwi Yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 5:32 PM
Share

આઈઆરસીટીસી (IRCTC) કૌભાંડ કેસમાં સીબીઆઈએ (CBI) બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. સીબીઆઈએ આ કેસમાં તેમને આપવામાં આવેલા જામીન રદ કરવાની માગ કરી છે. CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

તમને જણાવી દઈએ કે, IRCTC કૌભાંડ કેસમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમની માતા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને 2018માં જામીન મળ્યા હતા. તેજસ્વી યાદવ હાલ જામીન પર બહાર છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. CBI તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ગઈ છે. સીબીઆઈએ કોર્ટ પાસે માગ કરી છે કે તેજસ્વી યાદવના જામીન રદ કરવામાં આવે. હાલ તેઓ બિહારના નાયબ મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં સાક્ષીઓને પણ ધમકાવવામાં આવી શકે છે.

આ કેસમાં કુલ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા

તમને એ પણ જણાવી દઈએ કે IRCTC કૌભાંડમાં CBIએ 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ તમામ લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં સીબીઆઈની સાથે ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સંપૂર્ણ રીતે ઘેરાયેલો છે. ચાર્જશીટમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામ પણ સામેલ છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ કૌભાંડ આઈઆરસીટીસી હોટલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કેસ સાથે સંબંધિત છે, જેમાં સીબીઆઈએ 12 લોકો અને બે કંપનીઓ પર આરોપ લગાવ્યા હતા. બિહારની રાજધાની પટનામાં મુખ્ય સ્થાન પર ત્રણ એકરના કોમર્શિયલ પ્લોટના સ્વરૂપમાં લાંચમાં સામેલ ખાનગી પેઢીને 2006માં રાંચી અને ઓડિશાના પુરીમાં બે IRCTC હોટેલોના કોન્ટ્રાક્ટ ફાળવવામાં કથિત અનિયમિતતાઓ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને તેના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">