AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAA કેસની સુનાવણી હવે 6 ડિસેમ્બરે થશે, કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટે આપ્યો સમય

CAAની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી હવે આગામી 6 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે. આ પહેલ, કેન્દ્ર સરકારે CAAને પડકારતી તમામ અરજીઓને ફગાવી દેવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

CAA કેસની સુનાવણી હવે 6 ડિસેમ્બરે થશે, કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટે આપ્યો સમય
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 1:14 PM
Share

સુપ્રીમ કોર્ટ હવે આગામી 6 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કાયદા પર સુનાવણી કરશે. CJI એ CAA મામલાને 6 ડિસેમ્બરે યોગ્ય બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. CJI 7 નવેમ્બરે નિવૃત્ત થશે. સીજેઆઈએ આસામ અને ત્રિપુરાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર જવાબ દાખલ કરવા માટે સરકારને સમય આપ્યો છે. મુખ્ય કેસ તરીકે બે-ત્રણ કેસોની સુનાવણી કરવામાં આવશે. જેથી મામલાની સુનાવણી સરળતાથી થઈ શકે. અગાઉ, સોલિસિટર જનરલે કહ્યું હતું કે કુલ 232 અરજીઓ છે. કેન્દ્રએ જવાબ દાખલ કર્યો છે અને અમને આસામ અને ત્રિપુરા વતી જવાબ દાખલ કરવા માટે થોડો સમય જોઈએ છે. CGIએ કહ્યું કે આ માંગ છેલ્લી ઘડીએ પણ કરવામાં આવી હતી.

જો કે, કેન્દ્ર સરકારે CAAને પડકારતી તમામ અરજીઓને ફગાવી દેવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે તે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહિત કરતું નથી. તેના બદલે, તે સ્પષ્ટ કાયદો છે જે 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં આસામ સહિત દેશમાં આવેલા માત્ર છ નિર્દિષ્ટ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપે છે. આ કાયદાથી ભવિષ્યમાં પણ વિદેશીઓના દેશમાં પ્રવેશવાનો કોઈ ખતરો નથી.

ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીની બેન્ચ સમક્ષ CAAના મુદ્દા પર 31 ઓક્ટોબરે સુનાવણી માટે 232 અરજીઓ સૂચિબદ્ધ છે, જેમાં મોટાભાગની PIL છે, અગાઉ, જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે CAAને પડકારતી અરજીઓ ત્રણ જજની બેંચને મોકલવામાં આવશે. આ મુદ્દે મુખ્ય અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) દ્વારા દાખલ કરવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયે 150 પેજની સોગંદનામુ ફાઇલ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલા 150 પાનાના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સંસદ ભારતીય બંધારણની કલમ 245 (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ સમગ્ર ભારતના કોઈપણ ભાગ માટે કાયદો બનાવવા માટે સક્ષમ છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સુમંત સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં તમામ અરજીઓને ફગાવી દેવાની અપીલ કરવામાં આવી છે. CAA-2019 હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો માટે નાગરિકત્વની સુવિધા આપે છે. જેઓ 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હતા.

આ સુવિધા એવા લોકો માટે પણ છે જેમને કેન્દ્ર સરકાર તરફથી પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ, 1920 અને અન્ય સંબંધિત જોગવાઈઓ અને વિદેશી અધિનિયમ, 1946 હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

અરજદારોમાં આ લોકો છે સામેલ

અરજી દાખલ કરનાર અન્ય મહત્વપૂર્ણ લોકોમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, આરજેડી નેતા મનોજ ઝા, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. મુસ્લિમ સંગઠન જમીયત ઉલામા-એ-હિંદ, ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન, પીસ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, બિન-સરકારી સંસ્થા ‘રાઈ મંચ’, એડવોકેટ એમએલ શર્મા અને કાયદાના વિદ્યાર્થીઓએ પણ આ કાયદાને પડકારતાં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">