Breaking News Amritpal Singh Arrested : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે કરી ધરપકડ, દિબ્રુગઢ જેલમાં કરવામાં આવશે શિફ્ટ

Breaking News : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો.

Breaking News Amritpal Singh Arrested : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે કરી ધરપકડ, દિબ્રુગઢ જેલમાં કરવામાં આવશે શિફ્ટ
Amritpal Singh arrested
Follow Us:
| Updated on: Apr 23, 2023 | 9:29 AM

ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ સિંહ અજનાલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.

આ પણ વાંચો : Amritpal Singh: પંજાબ પોલીસને મળી મોટી સફળતા! ધરપકડ કરાયેલ NRI પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત મહત્વના પુરાવા મળ્યા

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે અમૃતપાલની મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી ધરપકડ કરી હતી.

18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નેપાળ પોલીસે પણ તેને તેમના સર્વેલન્સ લિસ્ટમાં રાખ્યો હતો. કારણ કે વચ્ચે સમાચાર આવ્યા હતા કે અમૃતપાલ નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં છે.

અત્યાર સુધીમાં અનેક સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે

અમૃતપાલ એક દિવસ પહેલા જ મોગા આવ્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ એક દિવસ પહેલા જ મોગા પહોંચી ગયો હતો. જ્યાં તેણે ગુરુદ્વારામાં આશરો લીધો હતો. હવે અમૃતપાલ સિંહને લઈને પંજાબ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી છે. પંજાબ પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે

અમૃતપાલ સિંહના આત્મસમર્પણ પહેલા પોલીસે તેના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહની 10 એપ્રિલે ધરપકડ કરી હતી. પપ્પલપ્રીત એ વ્યક્તિ હતી જે ફરાર થવા દરમિયાન અમૃતપાલ સિંહ સાથે રહ્યો હતો. પપ્પલપ્રીતની પણ ધરપકડ કરીને તેને આસામની જેલમાં ખસેડવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહના ધરપકડ કરાયેલા સહયોગીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

થોડા મહિના પહેલા લંડનથી પરત ફર્યો હતો અમૃતપાલ

ત્રણ દિવસ પહેલા પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. કિરણદીપ લંડન જવાની તૈયારી કરી રહી હતી, પરંતુ ફ્લાઈટ પહેલા જ પોલીસે તેને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લઈ લીધી હતી. અમૃતપાલ પાલ થોડાં મહિના પહેલા લંડનથી પંજાબ પાછો આવ્યો હતો અને ત્યારથી તે વારિસ પંજાબ દે સંગઠનના વડાની જવાબદારી સંભાળી રહ્યો હતો.

વીડિયો જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે-કોઈ વાળ વાંકો ન કરી શકે

ફરાર વચ્ચે અમૃતપાલ સિંહના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. 29 માર્ચે જાહેર કરાયેલા એક વીડિયોમાં અમૃતપાલ સિંહે કહ્યું હતું કે કોઈ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. તેણે કહ્યું હતું કે, તેના પર સાચા બાદશાહની કૃપા છે. સાચા બાદશાહે મુશ્કેલ સમયમાં આપણી કસોટી કરી છે, પરંતુ પરમાત્માએ ઘણો સાથ આપ્યો છે.

અજનલાની ઘટના બાદ અમૃતપાલ ચર્ચામાં આવ્યો હતો

અજનાલની હિંસા બાદ અમૃતપાલ સિંહ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. 23 ફેબ્રુઆરીએ અજનાલામાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અમૃતપાલ સિંહ તેમના સેંકડો સમર્થકો સાથે તેમના સાથીદારની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો હિંસા ફાટી નીકળી. જેમાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">