Amritpal Singh: પંજાબ પોલીસને મળી મોટી સફળતા! ધરપકડ કરાયેલ NRI પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત મહત્વના પુરાવા મળ્યા

પંજાબ પોલીસે ફગવાડામાંથી એક NRIની ધરપકડ કરી છે, જેની પાસેથી ભાગેડુ અમૃતપાલ સિંહ અંગે કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આ કેસમાં પોલીસે ઘણા લોકોની અટકાયત પણ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Amritpal Singh: પંજાબ પોલીસને મળી મોટી સફળતા! ધરપકડ કરાયેલ NRI પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત મહત્વના પુરાવા મળ્યા
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 5:29 PM

‘વારિસ પંજાબ દે’ના ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ સુધી પંજાબ પોલીસના હાથે ઝડપાયો નથી. 18 માર્ચથી તેની શોધ ચાલી રહી છે, જ્યારે પોલીસે તેની અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. હવે પંજાબ પોલીસે કપૂરથલા જિલ્લાના ફગવાડા શહેરમાંથી એક NRIની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે હોશિયારપુરથી અમૃતપાલ ફરાર થવાની ઘટનાના સંદર્ભમાં આ NRIની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાગેડુ અમૃતપાલને વિદેશમાં હીરો બનાવવામાં વ્યસ્ત ખાલિસ્તાની, રોજેરોજ લાખોનો ખર્ચ, જાણો ક્યાંથી આવે છે ફંડ?

આ કેસમાં વધુ ઘણા લોકોની અટકાયત

સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ NRIનું નામ જસવિંદર સિંહ પાંગલી છે, જે ફગવાડા પાસેના જગતપુર જટ્ટા ગામનો રહેવાસી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, પાંગલી સિવાય, પોલીસે આ કેસમાં વધુ ઘણા લોકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં અમૃતપાલ વિશે મોટા ખુલાસા થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

NRI પાસેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા- સુત્ર

મહત્વનું છે કે, અમૃતપાલ સિંહનું છેલ્લું લોકેશન 28 માર્ચે હોશિયારપુરના મરનૈયા ગામમાં મળ્યું હતું. હોશિયારપુરમાં પોલીસે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ મારનાયા ગામમાંથી ફરાર થયા બાદ પંજાબ પોલીસે પહેલીવાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જસવિંદર સિંહ પાંગલીમાંથી અમૃતપાલ અને તેના પાર્ટનર પપ્પલ પ્રીત સિંહ વિરુદ્ધ ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.

આવનાર દિવસોમાં મોટા ખુલાસા કરી શકે છે પંજાબ પોલીસ

ચર્ચા છે કે આવનાર દિવસોમાં પંજાબ પોલીસ આ મામલે ઘણા મોટા ખુલાસા કરી શકે છે. અલગાવવાદી નેતા અમૃતપાલ સિંહના ફરાર થયા બાદ પંજાબ પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. 22 દિવસથી પોલીસના હાથ ખાલી છે. આ મહિનાની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અમૃતપાલ અને પપલપ્રીત સિંહ હોશિયારપુરના એક ગામમાં એક કેમ્પમાં જોવા મળ્યા હતા.

ભાગેડુ અમૃતપાલને વિદેશમાં હીરો બનાવવામાં વ્યસ્ત ખાલિસ્તાની

અમૃતપાલ સિંહના મામલામાં સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકો આખી દુનિયામાં એવી રીતે બતાવી રહ્યા છે કે ભારતમાં તમામ શીખ ખાલિસ્તાન ઈચ્છે છે પરંતુ ભારત તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી રહ્યું છે. જોકે, આ વાતમાં બિલકુલ સત્યતા નથી.

                     ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                       ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">