AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે
Image Credit source: AI
| Updated on: Jul 07, 2026 | 2:01 PM
Share

હરિદ્વાર એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક પ્રાચીન અને મુખ્ય હિન્દુ તીર્થસ્થાન છે. શિવાલિક પહાડોની તળેટીમાં વસેલું, આ શહેર “ભગવાનના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાય છે કારણ કે અહીં ગંગા નદી પર્વતોમાંથી નીકળે છે અને પ્રથમ વખત મેદાની વિસ્તારમાં પ્રવેશ કરે છે.અહીંનો સૌથી પ્રખ્યાત ઘાટ હર કી પૌડી છે, જ્યાં દરરોજ સાંજે ગંગા આરતી કરવામાં આવે છે અને ત્યાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તેવું માનવામાં આવે છે. અન્ય જોવાલાયક સ્થળોમાં મનસા દેવી મંદિર, ચંડી દેવી મંદિર અને શાંતિકુંજનો સમાવેશ થાય છે.

પુજારીઓને શપથ લેવડાવ્યા

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં દાનની ચોરીનો મામલો સામે આવ્યા બાદ હરિદ્વારના ફેમસ મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પોતાના પુજારીઓને શપથ લેવડાવ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ પંચાયતી શ્રી નિરંજની અખાડાના સચિવ મહંત ડો રવિન્દ્ર પુરી મહારાજે મંદિરના તમામ પુજારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ પણ પુજારી કે કર્મચારી દાનની ચોરી કરતો પકડાશે. તોપછી તેને માત્ર હાંકી કાઢવામાં આવશે નહીં, પરંતુ તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ માટે મહંત રવિંદ્ર પુરીએ સાત લોકોની એક સમિતિ પણ બનાવી છે. અખાડા પરિષદની તાજેતરમાં રચાયેલી બીજી કારોબારી સમિતિ પર ટિપ્પણી કરતા, મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે તેઓ પોતે અખાડા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમની પાસે બહુમતી છે. તેથી, 2027નો કુંભ મેળો તેમના નેતૃત્વ હેઠળ યોજાશે.

મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું કે, મનસા દેવી મંદિરમાં કોઈ પણ પ્રકારની ગડબડી ન થાય અને મંદિરનું દાન કોઈ ચોરી ન કરી શકે. આ માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો

  1. હવે, કોઈપણ પૂજારીને કુર્તા કે પાયજામામાં ખિસ્સા રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  2. કોઈપણ પૂજારીને મંદિરમાં બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  3. મંદિર સંકુલની અંદરની બધી પ્રવૃત્તિઓ પર મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
  4. આ કેમેરા મંદિરના મુખ્ય કાર્યાલય, તેમજ શ્રી નિરંજની પંચાયતી અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરીના કાર્યાલય અને તેમના મોબાઇલ ફોન સાથે જોડાયેલા રહેશે, જેથી મંદિરની બધી પ્રવૃત્તિઓ પર 24 કલાક નજર રાખવામાં આવશે.
  5. મંદિરમાં આપવામાં આવતું નારિયેળ, પ્રસાદ અથવા અન્ય પ્રસાદ ફરીથી અર્પણ કરવામાં આવશે નહીં કે દુકાનદારોને વેચવામાં આવશે નહીં. આ હેતુ માટે કડક નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે, અને સમગ્ર પ્રક્રિયા પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
  6. કોઈપણ પૂજારી મંદિરમાંથી ચોરી કરતા અથવા બજારમાં મંદિરની વસ્તુઓ, પ્રસાદ અથવા નારિયેળ વેચતા જોવા મળશે તો તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે અને તેમને તાત્કાલિક મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે.
  7. મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું હતું કે શ્રી મનસા દેવી મંદિરની પવિત્રતા, ગરિમા અને શ્રદ્ધા સાથે કોઈપણ રીતે ચેડા કરવામાં આવશે નહીં.

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">