Breaking News: Gyanvapi Case- હિન્દુ મહિલાઓ કરશે પૂજા! રદ થઈ મુસ્લિમ પક્ષની અરજી

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો અને હિન્દુ પક્ષની અરજીને માન્ય ગણાવી.

Breaking News: Gyanvapi Case- હિન્દુ મહિલાઓ કરશે પૂજા! રદ થઈ મુસ્લિમ પક્ષની અરજી
Gyanvapi mosque case
Follow Us:
| Updated on: May 31, 2023 | 5:32 PM

Prayagraj: અલાહાબાદ હાઈકોર્ટમાં બુધવારે વારાણસીના જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો અને હિન્દુ પક્ષની અરજીને માન્ય ગણાવી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જે.જે. મુનીરની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

23 ડિસેમ્બર, 2022ના રોજ કોર્ટે ચર્ચા પૂરી થયા પછી વારાણસીની શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.

આ પણ વાંચો: Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

12 સપ્ટેમ્બરે આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો

શ્રૃંગાર ગૌરી કેસમાં હિન્દુ પક્ષના રાખી સિંહ અને અન્ય 9 લોકો દ્વારા વારાણસી કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મસ્જિદની વ્યવસ્થા સમિતિએ આ મામલામાં પોતાનો વાંધો નકારવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને 12 સપ્ટેમ્બરે પડકારવામાં આવ્યો હતો.

5 મહિલા સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા

કોર્ટમાં અરજી કરનાર 5 મહિલાઓ સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને ફગાવી દીધો હતો. મુસ્લિમ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે 1991ના પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ હેઠળ સિવિલ દાવો જાળવવા યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">