AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી

અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી
| Updated on: Jul 06, 2026 | 7:21 PM
Share

Ram Mandir Trust: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ત્રણ કલાક સુધી ચાલી. ચઢાવા ચોરી મામલે આ બેઠક મળી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંગ દેવગીરીએ મીડિયા સમક્ષ આવીને જાણકારી આપી કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. જેવુ તેમણે રાજીનામુ આપ્યુ એવુ તરત જ સ્વીકારી લેવામાં આવ્યુ છે. હાલ નવા મહાસચિવ અને અધ્યક્ષ ની પસંદગી ન થાય ત્યાં સુધી કૃષ્ણ મોહનને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

રામમંદિરમાંથી ચોરાયેલી તમામ ચીજો પ્રેસ કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી

ચઢાવા ચોરી મામલે ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં રામ મંદિરમાંથી જે ચીજોની ચોરી થઈ હોવાના આરોપ લાગ્યા બહતા તે ચામ ચીજોને ટ્રસ્ટના પ્રેસ કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલી છે. જેમા સોનાની રામાયણ, ભગવાનની ચરણપાદુકા ચિહ્ન, ભગવાન રામલલા ને ભેટમાં મળેલા કિમતી હાર સહિતની ચીજો સામેલ છે.

જે પણ પાપમાં સામેલ હશે તેમને સજા થશે- મહંત નૃત્ય ગોપાલ દાસ

બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકા પર અન્ય સદસ્યો એ નારાજગી વ્યક્ત કરી હતી. મહંત દિનેશ દાસજી એ કહ્યુ કે અમે લોકોએ સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ. તો સ્વામી વિશ્વ પ્રશન્નતીર્થે કહ્યુ આ કલંક લાગ્યુ છે. આ બેઠક પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીએ જણાવ્યુ હતુ કે જે પણ આ પાપમાં સામેલ હશે તમામને સજા કરવામાં આવશે.

ચઢાવા ચોરી મામલે મળેલી  બેઠકમાં  ચંપત રાય, અનિલ મિશ્રા રહ્યા ગેરહાજર

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આ મહત્વપૂર્ણ બેઠકમાં કૂલ 14 સદસ્યોમમાંથી 9 સદસ્યો વ્યક્તિગત રીતે સામેલ થયા જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના નામિત સદસ્યો ઓનલાઈન જોડાયા હતા. બેઠકમાં વ્યક્તિગત જોડાનારા સદસ્યોમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગીર, ટ્રસ્ટ સદસ્ય કૃષ્ણ મોહન, દિનેન્દ્ર દાસ, શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતિ, પરમાનંદ ગીરી મહારાજ અને સ્વામી વિશ્વ પ્રપન્ન તીર્થ જી મહારાજ સામેલ હતા. બીજી તરફ કેટલાક સદસ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે ટ્રસ્ટના સદસ્ય ચંપત રાય અને અનિલ મિશ્રા આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

SIT તપાસમાં 8 આરોપીઓ પાસેથી કૂલ  ₹ 79.85 લાખ ની રોકડ  જપ્ત

આપને જણાવી દઈએ કે રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SIT તપાસમાં 8 આરોપીઓ પાસેથી કૂલ 79.85 લાખ ની રોકડ જપ્ત કરવામાં આવી છે. પોલીસ અને કોર્ટના દસ્તાવેજો મુજબ અલગ અલગ આરોપીઓ પાસેથી જે રકમ મળી આવી તે આ પ્રમાણે છે.

  • અવિનાશ શુક્લા = ₹20 લાખ થી વધુ અને 1 હજાર ડૉલર
  • કરુણેશ પાંડે = ₹18 લાખ થી વધુ
  • અનુકલ્પ મિશ્રા = ₹16 લાખથી વધુ
  • લવકુશ મિશ્રા = ₹14 લાખ થી વધુ
  • રમા શંકર મિશ્રા = ₹7 લાખથી વધુ
  • રામ શંકર યાદવ ઉર્ફ ટિલ્લુ યાદવ= ₹1 લાખ

SIT ની તપાસમાં ખૂલ્યુ છે કે આરોપીઓ દરરોજ દાનપેટીમાંથી ₹500ની નોટની ₹6 લાખથી ₹8 લાખની ઉચાપત કરતા હતા.

ચટકારા લઈ-લઈને તમે જે ચીઝ ખાઈ રહ્યો છો… એ અસલી છે કે નક્લી… ઘરે બેઠા કેવી રીતે ચેક કરવુ?

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">