AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય કાર્યકારિણીના બીજા દિવસે ગુજરાતની ઐતિહાસિક જીત અંગે રિપોર્ટ રજૂ કરાશે, જીત પાછળના કારણો જણાવાશે

ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપશે. ભાજપે પહેલીવાર ગુજરાતમાં જીતનો રેકોર્ડ તોડયો છે, ત્યારે આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રિપોર્ટ આપશે.

રાષ્ટ્રીય કાર્યકારિણીના બીજા દિવસે ગુજરાતની ઐતિહાસિક જીત અંગે રિપોર્ટ રજૂ કરાશે, જીત પાછળના કારણો જણાવાશે
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સી આર પાટીલ ગુજરાતની જીતનો રિપોર્ટ રજૂ કરશે
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 17, 2023 | 12:41 PM
Share

આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકોનો બીજો દિવસ છે. 2024માં યોજાનારી લોકસભા અને આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે કમર કસી છે. બીજા દિવસે બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડાશે. સાથે સાથે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરાશે. એટલું જ નહીં ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત અંગે ચર્ચા કરાશે. તો આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રિપોર્ટ આપશે. ગુજરાતમાં 156 બેઠકો પર મળેલી જીત અંગે વાત સી આર પાટીલ વાત કરશે. તો જીત પાછળના કારણો અને સંગઠનની કામગીરી અંગે પણ ચર્ચા કરશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપશે. ભાજપે પહેલીવાર ગુજરાતમાં જીતનો રેકોર્ડ તોડયો છે, ત્યારે આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રિપોર્ટ આપશે. લોકોના વિકાસ માટે કેન્દ્ર સરકારે કરેલા કામને લઇ ચર્ચા થઇ શકે છે. કોરોનાકાળમાં મોદી સરકારના કામો, વિશ્વમાં ભારતની આર્થિક અને રાજકીય સ્થિતિ અને ભાજપ સંગઠનને લઇને વિશેષ ચર્ચા કરાશે. પેજ સમિતિના સફળ મોડલ અંગે વાત કરશે. આજે સાંજે પ્રધાનમંત્રી મોદી સમાપન સંબોધન કરશે

એટલું જ નહીં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામને લઇ પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી જે.પી. નડ્ડાનો કાર્યકાર એક વર્ષ સુધી વધી શકે છે. આ તમામ ચર્ચા બાદ પીએમ મોદી સાંજે બેઠકમાં સંબોધન કરશે. ભાજપ હોદ્દેદારોને ચૂંટણીમાં જીત માટે પીએમ મોદી મંત્ર આપશે. પીએમ મોદીના સંબોધન બાદ કાર્યકારિણી બેઠક પૂર્ણ થશે.

5 રાજ્યોના નેતાઓએ ચૂંટણીની તૈયારીઓનું પ્રેઝન્ટેશન આપ્યું

પ્રમુખસ્તરેથી કરાયેલા સંબોધન બાદ, 5 રાજ્યોના નેતાઓએ ચૂંટણીને લઈને તેમની તૈયારીઓ અંગે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેન્દ્રીય નેતૃત્વને પ્રેઝન્ટેશન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના ભાજપ એકમ અને તેના પ્રમુખ બંદી સંજય કુમારની પ્રશંસા કરી હતી અને પ્રતિકૂળ સંજોગોમાં તેલંગાણામાં સંઘર્ષ કરી રહેલા ભાજપના નેતાઓની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ નાગાલેન્ડના પ્રેઝન્ટેશનમાં પણ ઘણો રસ દાખવ્યો હતો અને ત્યાંના નેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">