AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ

જ્યારે બીજી તરફ કેટલીક શાળા હજુ પણ બેદરકારી દાખવી રહ્યુ છે. સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલની (Siliguri Girls High School)75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે સિલીગુડીમાં એક રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવી હતી,

કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ
Bengal schools closed due to corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 1:08 PM
Share

West Bengal Corona Update: કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં(Corona Case)  ઉછાળો આવ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે રાજ્યમાં સોમવારથી આંશિક લોકડાઉન (Mini Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓ ફરીથી બંધ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ (Online Education) લેવા મજબુર બન્યા છે.

શોભાયાત્રામાં કોરોના નિયમો નેવે મુકાયા

જ્યારે બીજી તરફ કેટલીક શાળા હજુ પણ બેદરકારી દાખવી રહ્યુ છે. સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલની (Siliguri Girls High School)75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે સિલીગુડીમાં એક રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.જેને પગલે હાલ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કોરોના મહામારી વચ્ચે શોભાયાત્રાના નિર્ણયને લઈને સ્કૂલ મેનેજમેન્ટના નિર્ણય પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શાળા મેનેજન્ટ પર ઉઠ્યા અનેક સવાલો

જો કે બીજી તરફ સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલના વહીવટી અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓએ માસ્ક પહેરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. કોઈને બળજબરીથી શાળામાં લાવવામાં આવ્યા ન હતા. ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ 75મા વર્ષ નિમિત્તે આવતીકાલથી વિવિધ કાર્યક્રમોનું પણ શાળામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આરોગ્ય તંત્રએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વધતા સંક્રમણને પગલે રાજ્ય સરકાર સતર્ક

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે સોમવારથી તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત સ્પા, સલૂન, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ કરવાનુ આહ્વાન કર્યુ છે.ઉપરાંત તમામ સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતાથી જ કામ કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ હવેથી તમામ વહીવટી બેઠકો વર્ચ્યુઅલ મોડ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારે વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર (West Bengal Government) સતર્ક જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Karnataka : બેલાગવી જિલ્લામાં ખ્રિસ્તી પરિવાર પર અસામાજીક તત્વોનો હુમલો,પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">