UP Assembly Election: કેશવ પ્રસાદ મૌર્યની અખિલેશ યાદવને સલાહ, કહ્યું કે 2027ની તૈયારીમા લાગો, આ વખતે કઈ હાથમાં નહી આવે

TV9 GUJARATI

|

Updated on: Jan 03, 2022 | 11:22 AM

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો જનતાએ મોદીને વડાપ્રધાન ન બનાવ્યા હોત તો શું અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવતુ હોત, જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન ન બનાવ્યા હોત તો શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હોત?

UP Assembly Election: કેશવ પ્રસાદ મૌર્યની અખિલેશ યાદવને સલાહ, કહ્યું કે 2027ની તૈયારીમા લાગો, આ વખતે કઈ હાથમાં નહી આવે
Deputy Chief Minister Keshav Prasad Maurya with CM Yogi

Follow us on

UP Assembly Election: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રવિવારે સમાજવાદી પાર્ટીના પ્રધાન અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે અખિલેશજી 2022 (વિધાનસભા ચૂંટણી)માં હવે કંઈ જ બાકી નથી, તેથી 2027 માટે તૈયારી કરો. રવિવારે કાનપુરની જનવિશ્વાસ યાત્રામાં મૌર્યએ કહ્યું કે હવે અખિલેશ યાદવે સ્વીકારી લેવું જોઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં માટે હવે કંઈ જ બાકી નથી, જો તેમનામાં થોડી હિંમત હોય તો તેમણે 2027ની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

ઉત્તર પ્રદેશમાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના છ વિસ્તારોમાંથી જનવિશ્વાસ યાત્રા શરૂ કરી છે, જેનો માર્ગ પાર્ટી દ્વારા રાજ્યની તમામ 403 વિધાનસભા મતવિસ્તારોમાંથી નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપે રાજ્યના છ વિસ્તારોમાંથી 19મી ડિસેમ્બરે જન વિશ્વાસ યાત્રા શરૂ કરી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આંબેડકર નગરથી યાત્રાને લીલી ઝંડી આપી હતી.

આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઝાંસીમાં, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ બિજનૌરમાં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બલિયામાં અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાજીપુરની યાત્રાને લીલી ઝંડી આપી હતી અને જાહેર સભાને સંબોધી હતી.

ફરીથી પ્રચંડ જીતના માર્ગે છે ભાજપ

રવિવારે કાનપુરમાં આયોજિત રોડ શો અને જાહેર સભામાં મૌર્યએ કહ્યું કે, 2014થી ભાજપની વિજયયાત્રા શરૂ થઈ હતી, ત્યારથી ભાજપને જોરદાર જીત મળી રહી છે. 2019માં તમામ ભાજપ વિરોધી પાર્ટીઓ એક થઈ ગઈ, તો પણ ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં લોકસભામાં 64 બેઠકો મળી અને 51 ટકા વોટ આપીને જનતાએ મોદીને વડાપ્રધાન બનાવ્યા.

BJP હેડક્વાર્ટરથી જાહેર કરાયેલા નિવેદન મુજબ મૌર્યએ કહ્યું કે જો જનતાએ મોદીને વડાપ્રધાન ન બનાવ્યા હોત તો શું અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું હોત, જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન ન બનાવાયા હોત તો શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હોત? મોદીની સિદ્ધિઓ ગણાવતા નાયબ મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી 300થી વધુ બેઠકો જીતવા જઈ રહી છે. કાનપુરની યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ વર્મા, રાજ્ય સરકારના મંત્રી સતીશ મહાના, યાત્રા સંયોજક બાબુરામ નિષાદ, સાંસદ સત્યદેવ પચૌરી, સાંસદ મહેશ ત્રિવેદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

દિનેશ શર્મા પર પણ નિશાન સાધ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડૉ.દિનેશ શર્માએ જિલ્લાના કાદીપુર તાલુકા મુખ્ય મથકમાં આવેલા પટેલ ચોક ખાતે ભાજપની જનવિશ્વાસ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે, બસપા જાતિવાદી, સપા કોમવાદી અને કોંગ્રેસ લોકોને ઝઘડો કરાવીને વિભાજીત કરનારી પાર્ટી છે. તેમણે કહ્યું કે, ભાજપ તમામને સાથે લઈને દેશમાં શાંતિ સ્થાપવાની પાર્ટી છે. તેમણે લોકોને ઉમેદવારને બદલે ‘કમળ’ યાદ રાખવા વિરોધ કર્યો હતો. સુલતાનપુરમાં જાહેર સભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે કહ્યું કે ભાજપની સરકારોએ વિકાસનો નવો અધ્યાય લખ્યો, જ્યારે વિપક્ષની સરકારોમાં જિલ્લાઓમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવો અને કર્ફ્યુ લાદવો સામાન્ય વાત હતી.

બારાબંકીમાં બીજેપીની જનવિશ્વાસ યાત્રામાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, અખિલેશ યાદવે કબ્રસ્તાનમાં સૂતેલા મૃતકોની સુરક્ષા માટે બાઉન્ડ્રી વોલ બનાવી, પરંતુ તેમણે જીવતા માણસ માટે શું કર્યું! ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં જન વિશ્વાસ યાત્રા ચાલી રહી છે. સાંસદ રાજવીર સિંહ, પ્રદેશ મહામંત્રી વિજય બહાદુર પાઠક, સાંસદ રાજેશ વર્મા, સાંસદ ઉપેન્દ્ર રાવત, જિલ્લા પંચાયત પ્રમુખ રાજરાની રાવતે પણ જાહેરસભાને સંબોધી હતી. ભારતીય જનતા પાર્ટીની જન વિશ્વાસ યાત્રા આજે બારાબંકી જિલ્લાના દેવા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીની જનવિશ્વાસ યાત્રા રવિવારે બસ્તી સદર વિધાનસભા થઈને મહાદેવા વિધાનસભાના ફુટહિયા નગર બજાર પહોંચી હતી. બસ્તીના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય સચિવ હરીશ દ્વિવેદીએ મહાદેવા વિધાનસભાના શહેરના બજારમાં જન વિશ્વાસ યાત્રાને સંબોધતા કહ્યું કે, ભાજપ સામાન્ય જનતાના વિશ્વાસ સાથે જન વિશ્વાસ યાત્રા કાઢી રહી છે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ વિધાનસભા વિસ્તારના હરૈયાના મુરાદીપુરમાં જનવિશ્વાસ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે યોગી સરકારમાં યુપીમાંથી ગુંડાઓનું રાજ પૂરૂ થઈ ગયું અને યોગી સરકારમાં ગુંડા માફિયાઓ કોઈની જમીન, દુકાન કે ઘર પર કબજો કરી શકતા નથી.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati