Ramdev vs IMA: વિભિન્ન રાજ્યોમાં FIR થતા બાબા રામદેવ સુપ્રીમના દરવાજે, જાણો શું કરી માંગ
રામદેવે પોતાની અરજીમાં IMA પટણા અને રાયપુર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અને સ્ટેટમેન્ટ પર રોક લગાવવા તેમજ દિલ્હી સ્થાનાંતરિત કરવાની સુપ્રીમમાં માંગ કરી છે.
એલોપથી અને આયુર્વેદની લડાઈમાં બાબા રામદેવ મુશીબત માં જોવા મળી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં તેમના પર ઘણા કેસ નોંધવામાં આવ્યા છે. જેને લઈને હેવા બાબા રામદેવ સુપ્રીમની શરણમાં પહોંચ્યા છે. ખરેખર તો રામદેવે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે. રામદેવે પોતાની અરજીમાં IMA પટણા અને રાયપુર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અને સ્ટેટમેન્ટ પર રોક લગાવવા તેમજ દિલ્હી સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે.
તાજેતરમાં, છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. તેમની સામે કોરોના સારવારમાં આપવામાં આવતી એલોપેથી દવાઓને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) ના છત્તીસગઢ એકમએ એફઆઈઆર નોંધાવી છે.
રાયપુરના એસએસપી અજય યાદવે કહ્યું કે રામદેવ વિરુદ્ધ કલમ 188, 269 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે રોગચાળા અંગે બેદરકારી દાખવવા, નુકસાન ફેલાવવાના ઇરાદે અપમાન કરવા જેવા આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આઇએમએએ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રામદેવે ખોટી માહિતી ફેલાવી છે.
અગાઉ બાબા રામદેવ વિરુદ્ધ પટણામાં આઈએમએ દ્વારા એલોપથી વિરુદ્ધ બોલવા અને ડોકટરોની મશ્કરી કરવાને લગતા વિડીયો વાયરલ કરવા બદલ કેસ નોંધાવ્યો હતો. પાટનગરના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં પણ બાબા રામદેવ પર ગુનો દાખલ કરાયો હતો.
આઇએમએના ડો.સુનિલ કુમારે આરોપ લગાવ્યો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, બાબા રામદેવે આધુનિક તબીબી વિજ્ઞાન અને પદ્ધતિ વિશે સામાન્ય લોકોના મનમાં મૂંઝવણ પેદા કરી હતી. તેમની તરફનો અવિશ્વાસ વધાર્યો, જે ડોકટરોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
આ પણ વાંચો: Cabinet Decision: કેબિનેટની બેઠકમાં સામાન્ય લોકોના હિતમાં લેવાયો મોટો નિર્ણય, 80 કરોડ લોકોને સીધો લાભ
આ પણ વાંચો: ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલ્વેએ કરી મોટી જાહેરાત