AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નમાઝ પઢો અને પછી હિંદુ છોકરીઓને ઉપાડો, આતંક ફેલાવોઃ બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન

રામદેવે હિન્દુ ધર્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સનાતન ધર્મ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઈએ. સવારે ભગવાનનું નામ લેવું જોઈએ અને લોકોએ યોગ કરવા જોઈએ. હિંદુ ધર્મ આપણને જીવનને કેવી રીતે સારી રીતે જીવવું તે શીખવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 8:19 AM
Share

યોગ ગુરુ બાબા રામદેવે રાજસ્થાનના બાડમેરમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ આતંકવાદી હોય તો પણ તે નમાઝ ચોક્કસ અદા કરશે. આવા લોકો ઇસ્લામનો અર્થ નમાઝ સુધી જ સમજે છે. પાંચ વખત નમાઝ પઢો અને જે પણ પાપ કરવા માંગો છો તે કરો. હિંદુઓની છોકરીઓને ઉપાડો કે જેહાદના નામે આતંકવાદી બનો, તમારા મનમાં જે આવે તે કરો. પરંતુ, હિન્દુ ધર્મમાં આવું નથી.

ખ્રિસ્તી ધર્મ અંગે બાબા રામદેવે કહ્યું કે ખ્રિસ્તી ધર્મનો સિદ્ધાંત ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવવાનો છે. ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભા રહો, બધા પાપોનો નાશ થશે. ખ્રિસ્તીઓ ક્રોસની નિશાની પહેરે છે. આવા જ કેટલાક કોસ્ચ્યુમ બનાવવામાં આવ્યા છે. હું કોઈની ટીકા નથી કરી રહ્યો. પરંતુ લોકો આ બધી બાબતોના ચક્કરમાં પડ્યા છે. કેટલાક કહે છે કે તેઓ સમગ્ર વિશ્વને ઇસ્લામમાં ફેરવી દેશે. કેટલાક કહે છે કે આખું વિશ્વ ખ્રિસ્તી ધર્મમાં ફેરવાશે. પરંતુ હું કહું છું કે આમ કરવાથી શું થશે.

આવું સ્વર્ગ તો નરક કરતાં પણ ખરાબ છેઃ રામદેવ

રામદેવે કહ્યું કે આ લોકોના કહેવા અનુસાર સ્વર્ગ એટલે પાયજામા પહેરવો. તમારી મૂછો કાપો. લાંબી દાઢી ઉગાડો. ટોપી પહેરીને ચાલો. આવું ઇસ્લામ કહે છે કે કુરાન કહે છે, હું આ નથી કહી રહ્યો. પરંતુ આ લોકો આવુ કરી રહ્યા છે. તેઓ એવું એટલા માટે કરી રહ્યા છે તેમને જન્નત મળે. જન્નત હુર મળશે. પણ આવું સ્વર્ગ તો નરક કરતાં પણ ખરાબ છે.

હિંદુ ધર્મ શીખવે છે કે લડાઈ, ઝઘડા અને પાપથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએઃ રામદેવ

રામદેવે હિંદુ ધર્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે સનાતન ધર્મ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઈએ. સવારે ભગવાનનું નામ લેવું જોઈએ અને લોકોએ યોગ કરવા જોઈએ. હિંદુ ધર્મ આપણને જીવનને કેવી રીતે સારી રીતે જીવવું તે શીખવે છે. આપણે સદાચારી વ્યવહાર રાખવો જોઈએ. આપણું વર્તન પણ એવું હોવું જોઈએ. લોકોએ હિંસા અને અસત્યથી દૂર રહેવું જોઈએ. હિંદુ ધર્મ શીખવે છે કે, વ્યક્તિએ લડાઈ, ઝઘડા, પાપ અને ગુનાથી દૂર રહેવું જોઈએ. બાબા રામદેવ બાડમેરના એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">