AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને ફેંકશે પડકાર, જાણો કઈ રીતે

ગૌતમ અદાણીની વાત કરીએ તો શુક્રવારે ગૌતમ અદાણી એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા અનુસાર અદાણી ગ્રુપના શેરમાં વધારાને કારણે અદાણીની નેટવર્થ વધીને 155.7 બિલિયન ડોલર થઈ ગઈ છે.

બાબા રામદેવ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને ફેંકશે પડકાર, જાણો કઈ રીતે
Baba Ramdev will give competition to Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:36 AM
Share
વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિકર વ્યક્તિ બની ગયેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani) સામે એક નવો પડકાર ઉભો થયો છે. આ પડકારનું નામ બાબા રામદેવ છે. યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે પોતાના બિઝનેસને લઈને મોટી જાહેરાત કરી છે. પતંજલિ ગ્રુપ આગામી ચારથી પાંચ વર્ષ દરમિયાન તેની ચાર કંપનીઓને શેરબજારમાં લિસ્ટ કરવા જઈ રહ્યું છે. આ સાથે કંપની પોતાનો બિઝનેસ અઢી ગણો વધારવા પર પણ ધ્યાન આપી રહી છે. પતંજલિ ગ્રૂપનું મુખ્ય ધ્યાન ખાદ્ય તેલના વ્યવસાય પર છે જ્યાં હાલમાં અદાણી વિલ્મરનું વર્ચસ્વ છે.
 ભારતના ખાદ્ય તેલ બજારમાં અદાણી વિલ્મરનો હિસ્સો લગભગ 19 ટકા છે જ્યારે પતંજલિ ફૂડ્સનો હિસ્સો લગભગ 8 ટકા છે. ખાદ્યતેલના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પતંજલિ ગ્રુપ પામ ઓઈલના મામલે આત્મનિર્ભર બનશે. આ માટે પતંજલિ ગ્રુપ 15 લાખ એકરથી વધુ જમીનમાં તાડના વૃક્ષો વાવશે. આ વૃક્ષો 11 રાજ્યોના 55 જિલ્લામાં વાવવામાં આવશે. પતંજલિનો દાવો છે કે ભારતમાં કોઈપણ કંપની દ્વારા આ સૌથી મોટી પામની ખેતી હશે.

સ્ટોક માર્કેટ લિસ્ટિંગ

એટલું જ નહીં પતંજલિ ગ્રૂપ પણ અદાણી ગ્રૂપની જેમ શેરબજારમાં લિસ્ટેડ તેની વધુને વધુ કંપનીઓની સંખ્યા વધારશે. હાલમાં પતંજલિ ફૂડ્સ એકમાત્ર લિસ્ટેડ કંપની છે. બાબા રામદેવની યોજના હવે ગ્રૂપની અન્ય 4 કંપનીઓને શેરબજારમાં લિસ્ટ કરવાની છે. આ ચાર કંપનીઓ પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડિસિન, પતંજલિ લાઇફસ્ટાઇલ અને પતંજલિ વેલનેસ છે. બાબાએ કહ્યું કે પતંજલિ સમૂહનો બિઝનેસ અઢી ગણો વધીને આગામી પાંચથી સાત વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એટલું જ નહીં આ ગ્રુપ આગામી વર્ષોમાં પાંચ લાખ લોકોને રોજગારી પણ આપશે.
બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં રૂચી સોયાને રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ રૂ. 4,350 કરોડમાં ખરીદી હતી. આ કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ હતી. આ વર્ષે કંપનીનું નામ રૂચી સોયાથી બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવ્યું હતું. પતંજલિ ફૂડ્સના શેરની કિંમત સપ્તાહ દર અઠવાડિયે અને મહિને મહિને વધી રહી છે.

સંપત્તિમાં અદાણીનો રેકોર્ડ

હવે ગૌતમ અદાણીની વાત કરીએ તો શુક્રવારે ગૌતમ અદાણી એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા અનુસાર અદાણી ગ્રુપના શેરમાં વધારાને કારણે અદાણીની નેટવર્થ વધીને 155.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અદાણી ટ્રાન્સમિશનના સ્ટોક્સ હાલમાં તેમની રેકોર્ડ ઊંચાઈએ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">