AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: રૂપિયા થી લઈ ડોલર અને જ્વેલરી સુધી.. રામ મંદિર પ્રસાદ ચોરીના 7 આરોપી પાસેથી શું શું મળ્યું?

રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ ઝડપી બનતા મોટા ખુલાસા થયા છે. પોલીસે 7 આરોપીઓ પાસેથી ₹80 લાખથી વધુ રોકડ, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યું છે. "રામ રાજ્ય કોષ" લખેલું દાન બોક્સ અને QR કોડ પણ મળ્યો છે.

Exclusive: રૂપિયા થી લઈ ડોલર અને જ્વેલરી સુધી.. રામ મંદિર પ્રસાદ ચોરીના 7 આરોપી પાસેથી શું શું મળ્યું?
| Updated on: Jul 01, 2026 | 8:33 PM
Share

Ram Mandir Donation Theft: ભગવાન શ્રી રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી આઠમાંથી સાત આરોપીઓ પાસેથી મોટી માત્રામાં રોકડ, અમેરિકન ડોલર અને સોનાના દાગીના જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન આરોપી અવિનાશ શુક્લાના રૂમમાંથી “રામ રાજ્ય કોષ” લખેલું દાન બોક્સ પણ મળી આવ્યું છે, જેના પર ઓનલાઈન દાન માટે ઉપયોગમાં લેવાતો Paytm QR કોડ પણ લાગેલો હતો.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આરોપી અવિનાશ શુક્લાના ભાડાના મકાનમાંથી ત્રણ દાન બોક્સ મળી આવ્યા હતા. તેમાંથી એક બોક્સ પર “રામ રાજ્ય કોષ” લખેલું હતું અને તે બંધ હાલતમાં મળ્યું હતું. પોલીસને શંકા છે કે આ બોક્સનો ઉપયોગ દાનની રકમ એકત્ર કરવા માટે થતો હતો. તપાસ દરમિયાન અહીંથી લાખો રૂપિયાની રોકડ મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપીઓ પાસેથી શું મળ્યું?

પોલીસ તપાસમાં અવિનાશ શુક્લા પાસેથી 1,121 અમેરિકન ડોલર મળી આવ્યા છે, જેની ભારતીય કિંમત અંદાજે ₹1.06 લાખ થાય છે. આ ઉપરાંત તેની પાસે સોનાની ચેઈન, વીંટી અને મોટી માત્રામાં રોકડ પણ મળી આવી છે.

આરોપી અવિનાશ શુક્લા અને લવકુશ મિશ્રા પાસેથી મળીને ₹14.25 લાખ, કરુણેશ પાંડે પાસેથી ₹18.70 લાખ, ટિનુ યાદવ પાસેથી ₹1 લાખ, રામશંકર મિશ્રા પાસેથી ₹7.32 લાખ, અનુકુલ મિશ્રા પાસેથી ₹16.82 લાખ અને મનીષ કુમાર યાદવ પાસેથી ₹2 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રીતે સાત આરોપીઓ પાસેથી કુલ મળીને ₹80 લાખથી વધુની રોકડ, વિદેશી ચલણ અને દાગીના મળ્યા હોવાનું સામે આવ્યું છે.

નોટનું મૂલ્ય સંખ્યા કુલ રકમ (રૂપિયા)
₹500 3,609 ₹18,04,500
₹200 579 ₹1,15,800
₹100 1,182 ₹1,18,200
₹50 5 ₹250
₹20 21 ₹420
₹10 5 ₹50
કુલ 5,401 ₹20,39,220

આ રીતે, કુલ ₹20,39,220 ની રકમ મળી આવી. ભારતીય ચલણની સાથે, ડોલર પણ મળી આવ્યા, જેના આંકડા નીચે મુજબ છે:

નોટનું મૂલ્ય સંખ્યા કુલ ડોલર
$100 8 $800
$50 2 $100
$20 9 $180
$10 3 $30
$5 2 $10
$1 1 $1
કુલ 25 $1,121

ટ્રસ્ટના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ

આ કેસમાં હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેટલાક અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. માહિતી અનુસાર, ગુરુવારે મોટી સંખ્યામાં વકીલો જન્મભૂમિ પોલીસ સ્ટેશન પહોંચીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે FIR નોંધવાની માંગ કરશે.

આ દરમિયાન ટ્રસ્ટના ખજાનચી ગોવિંદદેવ ગિરીની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. તપાસમાં દાનની રકમનું સંચાલન, નાણાકીય દેખરેખ અને સમગ્ર પ્રક્રિયા અંગે તેમની પાસેથી માહિતી લેવામાં આવશે.

ગોવિંદદેવ ગિરીને લઈને શું સવાલો ઊભા થયા?

તપાસ દરમિયાન અનેક મહત્વના સવાલો સામે આવ્યા છે. ખજાનચી હોવા છતાં દાન પેટીઓમાં કથિત ગેરરીતિ કેવી રીતે થઈ? વિવાદ સામે આવ્યા પછી તરત FIR કેમ નોંધાઈ નહીં? દાનની કુલ રકમ, નુકસાન અને વસૂલ કરાયેલી રકમની સંપૂર્ણ વિગતો જાહેર કેમ કરવામાં આવી નથી? દાનની ગણતરી કરનારા સ્ટાફ પર યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં અને અગાઉના ઓડિટમાં કોઈ ગેરરીતિ સામે આવી હતી કે નહીં, તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

ટ્રસ્ટના ખજાનચીની મુખ્ય જવાબદારીઓ

ટ્રસ્ટના ખજાનચી તરીકે દાન અને ભંડોળનું સંચાલન, બેંક ખાતાઓની દેખરેખ, આવક-ખર્ચનો હિસાબ રાખવો, નિયમિત ઓડિટ કરાવવું, બાંધકામ અને અન્ય ખર્ચ માટે નાણાકીય મંજૂરી આપવી, દાનના ઉપયોગમાં પારદર્શિતા જાળવવી અને બોર્ડ સમક્ષ નાણાકીય અહેવાલ રજૂ કરવાની જવાબદારી હોય છે. ઉપરાંત, આવકવેરા અને અન્ય કાનૂની નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવી તેમજ કોઈપણ નાણાકીય ગેરરીતિ સામે આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની જવાબદારી પણ ખજાનચીની જ હોય છે. રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીય કંપનીઓને અમેરિકા તરફથી મોટી રાહત, 4 દિગ્ગજ કંપનીઓ પ્રતિબંધોની યાદીમાંથી બહાર

Follow Us
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
g clip-path="url(#clip0_868_265)">