Ayodhya Ram Mandir: રામમંદિરના ગર્ભગૃહ અને પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ, જાણો કેટલુ કામ છે બાકી

ગર્ભગૃહ ઉપરાંત સમગ્ર પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ અહીં બીજા અનેક પ્રકારના કામો થઈ રહ્યા છે. નિયત સમયપત્રક અનુસાર રામ મંદિરનો પહેલો માળ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો છે.

Ayodhya Ram Mandir: રામમંદિરના ગર્ભગૃહ અને પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ, જાણો કેટલુ કામ છે બાકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 5:01 PM

Ram Mandir: રામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરનું કામ હવે વધુ ઝડપે થઈ રહ્યું છે. આ ત્રણ માળનું મંદિર બનવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ, રામ લલ્લાના અભિષેક પહેલા અહીં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ કરવું પડશે. આવી સ્થિતિમાં ગર્ભગૃહ સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ હજુ 35થી 40 ટકા કામ બાકી છે. રામ મંદિરના પહેલા માળની સીડીઓ તૈયાર થઈ ગઈ છે, પરંતુ થાંભલાનું કામ હજુ 50 ટકા બાકી છે.

ગર્ભગૃહ અને પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ

ગર્ભગૃહ ઉપરાંત સમગ્ર પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ અહીં બીજા અનેક પ્રકારના કામો થઈ રહ્યા છે. નિયત સમયપત્રક અનુસાર રામ મંદિરનો પહેલો માળ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો છે. આ પછી બીજા માળનું કામ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં અને ત્રીજા માળનું કામ 25ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્રણ માળના ભવ્ય મંદિરનું નિર્માણ 2025 સુધીમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો: Manipur: બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો, 6 મહિના માટે AFSPAને વધારવામાં આવ્યો

બાપુને આઝાદી કરતાં સ્વચ્છતા વધુ પસંદ હતી... PM મોદીએ ગાંધી જયંતિ પર આવું કેમ કહ્યું?
વિદેશ બાદ ગુજરાતમાં ધુમ મચાવવા તૈયાર છે, ગુજરાતી સિંગર
Coconut : રોજ સવારે નાળિયેર ખાશો તો શું થશે? ફાયદા જાણીને લાગશે નવાઈ
આજનું રાશિફળ તારીખ : 02-10-2024
ચિયા સીડ્સ ખાવાથી થાય છે હજારો ફાયદા,જાણો
આ ગુજરાતી સિંગર લોકડાયરાથી લઈ સ્ટેજ પ્રોગ્રામમાં ગીતની રમઝટ બોલાવે છે

ગર્ભગૃહમાં બે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે

પ્રથમ માળનું કામ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂર્ણ કરવાનું રહેશે. હાલમાં નીચેના માળ પરનું સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને બહારનું સમગ્ર ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. સીડીઓ અને થાંભલાઓનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહનું માળખું મકરાણા માર્બલથી બનેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગર્ભગૃહમાં બે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. આમાંથી એક પ્રતિમા 5 વર્ષના છોકરાના રૂપમાં હશે, જેની ઊંચાઈ 51 ઈંચ રાખવામાં આવશે.

22મી જાન્યુઆરીએ રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ

મંદિર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો ભગવાન રામના મસ્તક પર પડે અને દેશ-વિદેશના તમામ ભક્તો માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થઈ ગઈ છે. આવતા વર્ષે 22મી જાન્યુઆરીએ રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાનાર છે. આ પહેલા મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ઉત્સવ માટે લગભગ 50 લાખ ભક્તો અયોધ્યા આવવાની આશા છે, તેથી દર 15 દિવસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર આ કાર્યક્રમની સમીક્ષા કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">