Manipur: બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો, 6 મહિના માટે AFSPAને વધારવામાં આવ્યો

કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમને સત્તાની ચિંતા છે. મણિપુર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પીએમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પીએમને મણિપુરની જનતાની ચિંતા નથી. કોંગ્રેસે રાજ્યની બિરેન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે.

Manipur: બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો, 6 મહિના માટે AFSPAને વધારવામાં આવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 4:15 PM

Manipur: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો છે. 19 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય સમગ્ર મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની અત્યંત કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. તાજેતરમાં બે વિદ્યાર્થીઓના મોત બાદ અરાજકતા વધુ વધી છે. લોકો નારાજ છે અને હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મણિપુર સરકારે 1 ઓક્ટોબરથી ખીણના 19 પોલીસ સ્ટેશનો સિવાય રાજ્યના પહાડી વિસ્તારોમાં AFSPAને 6 મહિના માટે લંબાવ્યો છે.

આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે જુલાઈમાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની જઘન્ય હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. મણિપુર લગભગ 150 દિવસથી સળગી રહ્યું છે, હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકો બેઘર બન્યા છે, તેમ છતાં કેન્દ્ર સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.

કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમને સત્તાની ચિંતા છે. મણિપુર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પીએમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પીએમને મણિપુરની જનતાની ચિંતા નથી. કોંગ્રેસે રાજ્યની બિરેન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે.

Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ
અમદાવાદમાં આ 10 ફરવાલાયક જગ્યાઓ છે શહેરીજનોની પહેલી પસંદ , જુઓ Photos
બાપુને આઝાદી કરતાં સ્વચ્છતા વધુ પસંદ હતી... PM મોદીએ ગાંધી જયંતિ પર આવું કેમ કહ્યું?
વિદેશ બાદ ગુજરાતમાં ધુમ મચાવવા તૈયાર છે, ગુજરાતી સિંગર
Coconut : રોજ સવારે નાળિયેર ખાશો તો શું થશે? ફાયદા જાણીને લાગશે નવાઈ

આ પણ વાંચો: Maneka Gandhi on Iskcon: મેનકા ગાંધી આ શું બોલી ગયા ? ISKCON સંસ્થા કસાઈઓને ગાય વેચી દે છે ! જુઓ Video

હજારો વિદ્યાર્થીઓ હત્યાનો વિરોધ કરી રહ્યા છે

અહીં રાજધાની ઈમ્ફાલમાં હત્યાના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ તેમના સાથી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના વિરોધમાં કાળા બેજ પહેરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.

સીબીઆઈ તપાસમાં વિલંબને લઈને રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી હતી

બીજી તરફ કુકી સમુદાયના સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ની મહિલા પાંખે આદિવાસીઓની હત્યા અને બળાત્કારના કેસમાં સીબીઆઈ તપાસમાં વિલંબના વિરોધમાં ચુરાચંદપુરમાં પ્રદર્શન કર્યું હતું. મહિલા પાંખના કન્વીનર કહે છે કે તેમને આશ્ચર્ય છે કે આદેશ હોવા છતાં કુકી સમુદાયના લોકોની હત્યા અને બળાત્કારની તપાસ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.

દરેક જગ્યા પર પોલીસ તૈનાત

હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મણિપુર પોલીસ, સીઆરપીએફ અને આરએએફના જવાનોને ઈમ્ફાલમાં તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને દરેક ખૂણા-ખૂણા પર નજર રાખવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની હિંસા અટકાવી શકાય.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">