AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: CM સરમાનો ઓવૈસીને પડકાર, ‘લવ જેહાદ થયો બંધ, આ વર્ષે 300 મદરેસા થશે બંધ’

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેલંગાણામાં કોંગ્રેસની જીત પર કટાક્ષ કરતા કહ્યું કે, બીજેપીએ ઘણા રાજ્યો જીત્યા પરંતુ ક્યારેય હોબાળો કર્યો નથી. કોંગ્રેસીઓ રાજ્ય જીત્યા બાદ જાણે વિશ્વયુદ્ધ જીતી ગયા હોય તેમ આનંદ કરી રહ્યા છે.

Telangana: CM સરમાનો ઓવૈસીને પડકાર, 'લવ જેહાદ થયો બંધ, આ વર્ષે 300 મદરેસા થશે બંધ'
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 11:01 PM
Share

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આજે એટલે કે રવિવારે તેલંગાણાના કરીમનગરમાં હિન્દુ એકતા યાત્રામાં પહોંચ્યા હતા. અહીં તેણે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર નિશાન સાધ્યું હતું, એટલું જ નહીં સરમાએ લવ જેહાદ પર પણ હુમલો કર્યો હતો.

આ પણ વાચો: કેમ છોડી કોંગ્રેસ, રાહુલના કૂતરાનો કિસ્સો શુ છે, કોણ છે તુગલક, હિમંતા બિસ્વા સરમાએ ઈન્ટરવ્યુમાં કર્યો ઘટસ્ફોટ

તેમણે કહ્યું કે અમારી સરકાર આસામમાં લવ જેહાદને રોકવા માટે કામ કરી રહી છે. એટલા માટે અમે રાજ્યમાં મદરેસાઓને બંધ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યા છીએ. તેમના કહેવા પ્રમાણે સીએમ બન્યા બાદ તેમણે આસામમાં 600 મદરેસાઓ બંધ કરી દીધા છે.

ઓવૈસીને કહેવા માંગુ છું કે મેં આ વર્ષે 300 મદરેસા બંધ કરી દીધા

ઓવૈસી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે તે મને જોઈ લેવાની ધમકી આપે છે. મેં તેમને કહ્યું કે તમે મને તમારા ઘરે બોલાવો અને ધ્યાનથી જુઓ, હું તમારી ખાલી ધમકીઓથી ડરતો નથી. હું ઓવૈસીને કહેવા માંગુ છું કે મેં આ વર્ષે 300 મદરેસા બંધ કરી દીધા છે, હવે વધુ કરીશ.

સચિન પણ ક્યારેક શૂન્ય પર આઉટ થઈ જાય છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર બોલતા સરમાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેટલાય રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ પણ ખોટો શોર શરાબો કર્યો નથી. બીજી તરફ કોંગ્રેસ માત્ર એક જ રાજ્યમાં જીત મેળવીને આટલો હોબાળો મચાવી રહી છે. મીડિયાને સંબોધતા સરમાએ કહ્યું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હંમેશા બેવડી સદી ફટકારે છે, પરંતુ ક્યારેક શૂન્ય પર પણ આઉટ થઈ જાય છે. કૉંગ્રેસ કર્ણાટકની જીત એવું બતાવી રહી છે જાણે વિશ્વ યુદ્ધ જીત્યું હોય.

આ વખતે તેલંગાણામાં ભાજપ સરકાર બનાવશે

અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે તેલંગાણામાં ભાજપની સરકાર બનશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરમા હિંદુ એકતા યાત્રામાં મુખ્ય અતિથિ તરીકે તેલંગાણા પહોંચ્યા છે. ધ કેરલા સ્ટોરીના ડાયરેક્ટર ઉપરાંત લગભગ એક લાખ લોકો આ યાત્રામાં ભાગ લે તેવી અપેક્ષા હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">