AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2023: ભારે સુરક્ષા વચ્ચે આજે બાબા બર્ફાનીના દર્શને પહોંચશે પહેલી બેચ, બદ્રીનાથમાં લેન્ડ સ્લાઈડથી યાત્રા રોકાઈ

બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે બાલતાલ અને નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. લગભગ 1491 યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પમાં અને 1997 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પમાં રોકાયા હતા.

Amarnath Yatra 2023: ભારે સુરક્ષા વચ્ચે આજે બાબા બર્ફાનીના દર્શને પહોંચશે પહેલી બેચ, બદ્રીનાથમાં લેન્ડ સ્લાઈડથી યાત્રા રોકાઈ
first batch will reach Amarnath dham today
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 9:42 AM
Share

Amarnath Yatra: અમરનાથ યાત્રાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે અમરનાથ યાત્રાના દર્શન માટે આજે પહેલી બેચ આગળ નીકળી છે. આ યાત્રાની પ્રથમ બેચ આજે બાલતાલ અને નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી બાબા બર્ફાની મુલાકાત લેશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે આ વખતે અમરનાથની યાત્રા 62 દિવસની યાત્રા યોજાઈ રહી છે. અમરનાથ યાત્રા માટે ઘણી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો દરેક જગ્યાએ તૈનાત છે.

બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે બાલતાલ અને નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. લગભગ 1491 યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પમાં અને 1997 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પમાં રોકાયા હતા કારણ કે 62 દિવસની લાંબી યાત્રાના એક દિવસ પહેલા 30 જૂનના રોજ 3488 યાત્રાળુઓ ખીણમાં પહોંચ્યા હતા. તેઓ 14000 ફૂટની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફા મંદિર તરફ જશે. ત્યારે આ બધાની વચ્ચે લેન્ડ સ્લાઈડની પણ ઘટના બની હતી.

LG મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી હતી

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે નમાજ અદા કર્યા બાદ પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી. યાત્રાળુઓની પ્રથમ ટુકડી પહેલગામ અને બાલતાલ માટે રવાના થઈ હતી. તમામ યાત્રાળુઓ અને લોકો આ યાત્રાને લઈને ઉત્સાહિત છે. સ્થાનિક લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે અમરનાથ યાત્રીઓનું સ્વાગત કર્યું છે.

બદ્રીનાથ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડના ચમોલીનો બદ્રીનાથ નેશનલ હાઈવે ચિન્કા ભારે વરસાદને કારણે ફરી એકવાર બંધ થઈ ગયો છે. અહીં પહાડીનો મોટો હિસ્સો રસ્તા પર તૂટી પડ્યો છે, જેના કારણે સુરક્ષાના કારણોસર બદ્રીનાથ અને હેમકુંડ જતા વાહનોને રોકી દેવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી જગ્યાએ પહાડોમાં તિરાડ પડી રહી છે. જો કે રસ્તો બંધ થવાના કારણે બંને તરફ સેંકડો યાત્રાળુઓ અને વાહનો અટવાઈ પડ્યા છે.

નેપાળમાં ભૂસ્ખલન, હજારો પ્રવાસીઓ ફસાયા

નેપાળમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે જેના કારણે નારાયણઘાટ-મુગલિમ રોડ ખાખ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે નારાયણ ઘાટ અને માગલિંગ વચ્ચે 2 કિલોમીટર સુધી ઘણી જગ્યાએ કાટમાળ પડ્યો છે. આવી સ્થિતિમાં પૃથ્વી હાઈવે પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">