એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા

ભારત દ્વારા કરવામાં આવેલી  એર સ્ટ્રાઈક પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક તસવીરો તાજેતરમાં સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ છે.  આ અંગે જારી કરવામાં આવેલી તસવીરોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય વાયુસેનાએ 80 ટકા ટાર્ગેટ તોડી પાડયા હતા. જારી થયેલી તસવીરોમાં ખંડિત થયેલી ઈમારતો પણ જોઈ શકાય છે. આ તરફ […]

એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા
Follow Us:
| Updated on: Mar 07, 2019 | 2:16 AM

ભારત દ્વારા કરવામાં આવેલી  એર સ્ટ્રાઈક પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક તસવીરો તાજેતરમાં સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ છે.  આ અંગે જારી કરવામાં આવેલી તસવીરોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય વાયુસેનાએ 80 ટકા ટાર્ગેટ તોડી પાડયા હતા. જારી થયેલી તસવીરોમાં ખંડિત થયેલી ઈમારતો પણ જોઈ શકાય છે.

આ તરફ વિદેશમાંથી પણ આ મુદ્દે  વિવિધ તર્કો સામે આવી રહ્યા છે.  અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત પ્રાઇવેટ સેટેલાઇટ ઓપરેટર પ્લેનેટ લેબ કોર્પોરેશન તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના બાલાકોટ ખાતે આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી તાલીમ કેમ્પને હવાઈહુમલામાં તબાહ કરવાનો દાવો કરાયો હતો, પરંતુ હાઇરિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરો બતાવે છે કે, જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત મદરેસા અથવા તો આતંકી તાલીમી કેમ્પ હજુ પણ ત્યાં યથાવત્ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેટલાં દિવસ બાદ લેવામાં આવી તસવીરો ? 

જેના માટે એર સ્ટ્રાઇકના 6 દિવસ બાદ લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં મદરેસાની ઇમારતોને કોઈપણ પ્રકારનાં નુકસાન વિના જોઈ શકાય છે. અત્યાર સુધી કોઈ હાઇરિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજ જાહેરમાં ઉપલબ્ધ નથી, પરંતુ પ્લેનેટ લેબ દ્વારા લેવાયેલી તસવીરો 72 સે.મી. જેટલી નાની વસ્તુની પણ સ્પષ્ટ જાણકારી આપી શકે છે.

આ પણ વાંચો : વિપક્ષનો સવાલ ‘એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?’, જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે ‘કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?’

ભારત સરકાર દ્વારા જે ઇમારતો પર હુમલો કરી તબાહ કર્યાનો દાવો કરાયો છે તે ઇમારતો આ તસવીરોમાં કોઈપણ પ્રકારનાં નુકસાન વિના ઊભેલી દેખાય છે. અપ્રિલ 2018માં લેવાયેલી તસવીરો અને 4 માર્ચ 2019ના રોજ લેવાયેલી તસવીરો વચ્ચે ઝાઝો કોઈ તફાવત નથી.

ભારતીય વાયુસેનાએ કરી સ્પષ્ટતા

પરંતુ ભારતીય વાયુસેનાના સુત્રો તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા સેટેલાઇટ ઇમેજ અને અન્ય ડેટાના આધાર પર માહિતી એકત્ર કરવામાં આવી છે. જેના માટે સેન્સર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે હુમલો કરવામાં આવેલી સ્થાનની જૂની અને નવી ઇમેજની સરખામણી કરવામાં આવશે. જે પછી તેને જાહેર કરવું કે નહીં તે નિર્ણય સરકારનો રહેશે.

વાયુસેના દ્વારા પોતાના પુરાવમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના ફાઇટર જેટ દ્વારા કરવામાં આવીલે એર સ્ટ્રાઇકમાં 80 ટકા બોમ્બ તેના ટાર્ગેટ પર જ પડ્યા છે. જ્યારે વિદેશી મીડિયાના અહેવાલો અંગે વાયુસેનાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ અંગે કોઇ પણ તસવીરો તેમને મળી નથી તેમ કહ્યું છે. તેમજ વાયુસેના દ્વારા કોઇ પણ તસવીરો જાહેર કરવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">