Delhi Air Pollution: વરસાદ હોવા છતાં, દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 350 પર પહોચ્યું,પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા
આ સિઝનમાં, ડોક્ટરે સંવેદનશીલ લોકોને બહારની તમામ શારીરિક પ્રવૃત્તિઓ ટાળવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. તે જ સમયે, અસ્થમાના દર્દીઓને તેમની સાથે દવાઓ રાખવા વિનંતી કરવામાં આવી છે.
Delhi Air Pollution: રાષ્ટ્રીય રાજધાની (Delhi-Ncr Air Pollution)માં હવાની ગુણવત્તા રવિવારે ‘અત્યંત નબળી’ કેટેગરીમાં રહી હતી, શહેરની હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 350 નોંધવામાં આવી છે.
જે મુખ્ય પ્રદૂષક તરીકે ‘PM 2.5’ સાથે ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં આવે છે. જોકે હળવા વરસાદ (Rain)થી થોડો રાહત મળશે, નબળી વેન્ટિલેશનની સ્થિતિને કારણે મંગળવારથી હવાની ગુણવત્તા ફરી બગડશે.”પવનની દિશા મુખ્યત્વે પૂર્વથી છે અને મધ્યમ વરસાદની અપેક્ષા છે જે AQIમાં નોંધપાત્ર સુધારો કરશે
પરાલી એટલે શું?
ડાંગરનો બાકી રહેલો ભાગ પરાલી કહેવાય છે, જેના મૂળ પૃથ્વી પર છે. ડાંગરનો પાક પાકી ગયા બાદ ખેડૂતો પાકનો ઉપરનો ભાગ કાપી નાખે છે કારણ કે તે કામનો હોય છે, બાકીનો ભાગ ખેડૂત (Farmer)ને કોઈ કામનો નથી. આગામી પાક વાવવા માટે, ખેતર સાફ કરવું પડે છે, તેથી ખેડૂતોએ પાકના બાકીના ભાગ એટલે કે સૂકા પરાલીને આગ લગાવી દે છે.
પંજાબમાં 14 જગ્યાએ પરાલી સળગાવી
“પરાલી (Straw)સળગાવવાની 815 ઘટનાઓ જોવા મળી હતી, પરંતુ પવન અનુકૂળ નથી અને વરસાદની અપેક્ષા છે, આજે પરાલીનો ફાળો માત્ર 2 ટકા રહેશે, જે ગઈકાલે 14 ટકા હતો.” પંજાબમાં પરાલી બર્નિંગ માત્ર 14 સ્થળોએ કરવામાં આવી હતી અને હરિયાણા (Haryana)અને રાજસ્થાનમાં આવી કોઈ ઘટના નોંધાઈ નથી. ઉત્તરપ્રદેશમાં સ્ટબલ સળગાવવાની 39 ઘટનાઓ બની હતી, જ્યારે મધ્યપ્રદેશમાં માત્ર એક જ ઘટના સામે આવી છે.
પડોશી રાજ્યો પરાલી સળગાવવાનું બંધ કરે છે
દિલ્હીની હવાની ગુણવત્તા અંગે પર્યાવરણ મંત્રી (Environment Minister )ગોપાલ રાયે જણાવ્યું હતું કે, પડોશી રાજ્યોમાં પરાલી સળગાવવાની વધતી ઘટનાઓને કારણે આવું થયું છે. તેમણે આ રાજ્યોની સરકારોને ‘જવાબદાર’ અભિગમ અપનાવવા અનુરોધ કર્યો છે. રાયે કહ્યું કે આ એક સામાન્ય પ્રથા છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાલી સળગાવવાની ઘટનાઓ વધતી જાય છે, દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડવાનું શરૂ થાય છે.
સ્વાસ્થ્ય બાબતે આ બાબતોનું ધ્યાન રાખો
SAFARએ હેલ્થ એડવાઈઝરી (Health Advisory)માં જણાવ્યું છે કે, સંવેદનશીલ લોકોએ બહારની તમામ શારીરિક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ અને ઘરની અંદર રહેવું જોઈએ. અસ્થમાના દર્દીઓને દવાઓ હાથમાં રાખવા તાકીદ કરવામાં આવી છે. સામાન્ય રીતે, લોકોએ કોઇપણ અસામાન્ય ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં અસ્વસ્થતા અથવા થાક અનુભવે તો કોઈપણ પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ.
આ પણ વાંચો : T20 World Cup, Ind vs Eng Warm-up, Live Streaming: જુઓ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો