ખેડૂતો સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર સધાઈ સહમતિ, MSP પર અટવાયો મુદ્દો

|

Feb 12, 2024 | 10:07 PM

ચંદીગઢમાં ખેડૂત નેતાઓના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલી રહેલી બેઠકના સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ ગઈ છે. જો કે, MSPનો મુદ્દો હજુ સુધી અટવાયેલો રહ્યો છે.

ખેડૂતો સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર સધાઈ સહમતિ, MSP પર અટવાયો મુદ્દો
farmers protest 2024 demands

Follow us on

દિલ્હી સુધી કૂચ કરવા પર મક્કમ રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી માંગણીઓ પર સહમતિ સધાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, MSPની ગેરંટી મુદ્દે મામલો અટવાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાની વાત ચાલી રહી છે. ખેડૂત આ માટે તૈયાર નથી. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે કિચડીગઢમાં ખેડૂત નેતાઓના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં સરકાર અને ખેડૂતો ઘણા મુદ્દાઓ પર એકબીજા સાથે સહમત થયા છે.

પંજાબના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા પર અડગ છે, આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કૂચ કરતા અટકાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે, સરહદો પર બેરિકેડિંગ લગાવવામાં આવી રહ્યું છે. હરિયાણા સરકારે પણ શંભુ સરહદને સીલ કરી દીધી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોની વધારાની કંપનીઓને પણ હરિયાણા મોકલી આપી છે. જો કે તે પહેલા પણ કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે સમાધાન કરવા માંગે છે. એટલા માટે ચંદીગઢમાં છેલ્લા ત્રણ કલાકથી કેન્દ્રીય મંત્રી અને ખેડૂતો સાથે વાટાઘાટો ચાલી રહી છે, જેમાંથી કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ રહી છે.

એમએસપી ગેરંટી પર અટકી વાત

ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી બેઠકમાં એમએસપીની ગેરંટીનો મુદ્દો અટવાયેલો છે, સરકારે એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાનું અને તેમાં ખેડૂત આગેવાનોને સામેલ કરવાની ખાતરી આપી છે. પરંતુ ખેડૂતો તેનો ઈન્કાર કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે આ અંગે નક્કર જાહેરાત કરવી પડશે. કેન્દ્ર સરકારે કહ્યું કે કઠોળના એમએસપીની ગેરંટી આપવાના મામલે તુરંત વિચારણા થઈ શકે છે. પરંતુ અન્ય પાકો માટે એમએસપીની ગેરંટી આપવા માટે કેન્દ્ર સરકારને સુધારો કરવા માટે થોડો સમય જોઈએ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ માંગણીઓ પર સર્વસંમતિ સધાઈ

  1. – ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020 રદ કરવામાં આવશે.
  2. – લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ખેડૂતોને વળતર મળશે.
  3. – ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવશે. જઘન્ય ગુનાના કેસ ચાલુ રહેશે.
  4. – આ સમાચાર લખાયા છે ત્યાં સુધી MSP ગેરંટી કાયદા પર હજુ સુધી કોઈ સર્વસંમતિ નથી, તેને લઈને વાતચીત ચાલી રહી છે.
Next Article