સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આરોપી માણસામાં કાર છોડી ભાગ્યા, ફોરેન્સિક ટીમે કરી તપાસ, મળી કેટલીક મહત્વની કડીઓ
Sidhu Moosewala Murder Case: ધરમકોટ (મોગા)ના એસએચઓ જસવરિન્દર સિદ્ધુએ કહ્યું કે ફોરેન્સિક ટીમોએ આવીને કારની સંપૂર્ણ તપાસ કરી છે. કારમાંથી ફિંગર પ્રિન્ટ લેવામાં આવી છે. અમે કાર માણસા પોલીસને સોંપીશું.
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યા કર્યા પછી, આરોપીઓ તેમની કાર માનસા જિલ્લામાં છોડી ગયા. આ પછી તેઓ ત્યાંથી બીજી કારમાં ફરાર થઈ ગયા હતા. ધરમકોટ (મોગા) (Dharamkot Moga)ના એસએચઓ જસવરિન્દર સિદ્ધુ (SHO Jasvarinder Sidhu, Dharamkot) એ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ફોરેન્સિક ટીમે (Forensic team) આવીને કારની સંપૂર્ણ તપાસ કરી છે. કારમાંથી ફિંગર પ્રિન્ટ લેવામાં આવી છે. કારમાંથી પાણીની બે બોટલ અને એક ગ્લાસ મળી આવ્યો છે. એસએચઓ જસવરિંદરે કહ્યું કે અમે વીડિયો ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. અમે કાર માણસા પોલીસને સોંપીશું.
મુસેવાલામાં 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
સિદ્ધુ મુસેવાલાની રવિવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. સિદ્ધુ મુસેવાલા જ્યારે તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં આગળ અને પાછળથી 2-2 વાહનો આવ્યા અને તેમની કાર પર ફાયરિંગ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે 9 હુમલાખોરોએ મુસેવાલા પર 3 હથિયારોથી 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સિદ્ધુ મુસેવાલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Fingerprints have been taken from the car. Two water bottles and a glass recovered from the car. We are checking the video footage. We will handover the car to Mansa Police: SHO Jasvarinder Sidhu, Dharamkot, Moga, Punjab pic.twitter.com/e1CXArrcVZ
— ANI (@ANI) May 30, 2022
અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે
આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 6 માણસા અને 6 દહેરાદૂનમાંથી ઝડપાયા છે. આ બધા લોરેન્સ ગેંગની નજીક હોવાનું કહેવાય છે. પટિયાલામાંથી બેની અટકાયત કરવામાં આવી છે. આ લોકો બંબીહા જૂથ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
પોસ્ટમોર્ટમ પૂર્ણ, સવારે 9 વાગ્યે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પાંચ ડોક્ટરોની પેનલે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 9 વાગ્યે મૃતદેહ તેના સંબંધીઓને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં આંતરિક અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે.
ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી
ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં તિહારની જેલ નંબર 8ની હાઈ સિક્યોરિટી ઝોનમાં કેદ છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં લોરેન્સનું નામ નોંધાયેલું છે. દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ શરૂ કરી છે. દિલ્લી પોલીસના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને માહિતી આપી છે.