Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાશે ભાજપમાં
આમ આદમી પાર્ટીમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ મુખ્ય નેતાઓએ પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો સાથ તોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

આમ આદમી પાર્ટીમાં એક બહુ મોટો બળવો જોવા મળ્યો છે. સમાચાર છે કે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ૩ સાંસદોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. આ ત્રણેય સાંસદો એકસાથે ભાજપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ જોડાયેલ છે. આ બંનેએ પણ ભાજપનો સાથ સ્વીકારી લીધો છે.
2/3rd MPs of AAP in Rajya Sabha announce merging with the BJP. AAP MP Raghav Chadha says, “…I am telling you the real reason as to why I distanced myself from party activities. I did not want to be a part of their crimes. I was not eligible for their friendship because I… pic.twitter.com/uK7Uf2Kvb7
— Tv9 Gujarati (@tv9gujarati) April 24, 2026
રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ કરી AAP છોડવાની જાહેરાત
રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. સાથે જ ત્રણેયે જણાવ્યું કે, તેઓ આમ આદમી પાર્ટી છોડવા માટે કેમ મજબૂર થયા. સંદીપ પાઠકે કહ્યું કે, “મેં ક્યારેય પોતાને આગળ કર્યા નથી, હંમેશા આમ આદમી પાર્ટીને આગળ કરી છે. અરવિંદ કેજરીવાલને આગળ રાખ્યા છે. દેશમાં લાખો પાર્ટી કાર્યકર્તાઓ છે જે આમ આદમી પાર્ટીને આગળ રાખે છે.”
મેં મારું લોહી-પરસેવો આપ્યો પરંતુ AAP સિદ્ધાંતોથી ભટકી ગઈ: રાઘવ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, “જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારી જુવાનીના 15 વર્ષ આપ્યા છે, તે હવે પોતાના આદર્શો, મૂલ્યો અને મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી રાષ્ટ્રહિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગી રહ્યું હતું કે, હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. એવામાં આજે હું જાહેરાત કરું છું કે, હું આમ આદમી પાર્ટીથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક આવી રહ્યો છું.”
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે નિર્ણય લીધો છે કે, અમે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે-તૃતિયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપ (BJP) માં વિલીનીકરણ કરીશું.” રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, બે-તૃતિયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. અમારી સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલ પણ છે.
