AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાઇ ગયા ભાજપમાં

આમ આદમી પાર્ટીમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ મુખ્ય નેતાઓએ પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો સાથ તોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાઇ ગયા ભાજપમાં
| Updated on: Apr 24, 2026 | 6:03 PM
Share

આમ આદમી પાર્ટીમાં એક બહુ મોટો બળવો જોવા મળ્યો છે. સમાચાર છે કે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ૩ સાંસદોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. આ ત્રણેય સાંસદો એકસાથે ભાજપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ જોડાયેલ છે. આ બંનેએ પણ ભાજપનો સાથ સ્વીકારી લીધો છે.

રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ કરી AAP છોડવાની જાહેરાત

રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. સાથે જ ત્રણેયે જણાવ્યું કે, તેઓ આમ આદમી પાર્ટી છોડવા માટે કેમ મજબૂર થયા. સંદીપ પાઠકે કહ્યું કે, “મેં ક્યારેય પોતાને આગળ કર્યા નથી, હંમેશા આમ આદમી પાર્ટીને આગળ કરી છે. અરવિંદ કેજરીવાલને આગળ રાખ્યા છે. દેશમાં લાખો પાર્ટી કાર્યકર્તાઓ છે જે આમ આદમી પાર્ટીને આગળ રાખે છે.”

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, જેમાં પાર્ટીના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે રાજીનામું આપીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ પ્રમુખ નીતિન નબીને આ ત્રણેય નેતાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

મેં મારું લોહી-પરસેવો આપ્યો પરંતુ AAP સિદ્ધાંતોથી ભટકી ગઈ: રાઘવ

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, “જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારી જુવાનીના 15 વર્ષ આપ્યા છે, તે હવે પોતાના આદર્શો, મૂલ્યો અને મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી રાષ્ટ્રહિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગી રહ્યું હતું કે, હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. એવામાં આજે હું જાહેરાત કરું છું કે, હું આમ આદમી પાર્ટીથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક આવી રહ્યો છું.”

સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે નિર્ણય લીધો છે કે, અમે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે-તૃતિયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપ (BJP) માં વિલીનીકરણ કરીશું.” રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, બે-તૃતિયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. અમારી સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલ પણ છે.

8th Pay Commission : સરકારી કર્મચારીઓનો પગાર રૂ. 72,000 સુધી પહોંચશે ? આ રહ્યો જવાબ

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">