AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાગેશ્વર ધામ દરબારમાં અરજી પહેલા જ મહિલા ભક્તનું મોત, જાણો આ ઘટના પર મહિલાના પતિએ શું કહ્યું

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આદરમિયાન બાગેશ્વર ધામમાંથી એક મહિલાના મોતના સમાચાર આવી રહ્યા છે. આ મહિલા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાની રહેવાસી હતી. છેલ્લા એક મહિનાથી તે તેના પતિ સાથે બાગેશ્વર ધામમાં રહેતી હતી.

બાગેશ્વર ધામ દરબારમાં અરજી પહેલા જ મહિલા ભક્તનું મોત, જાણો આ ઘટના પર મહિલાના પતિએ શું કહ્યું
Dhirendra Shastri - Bageshwar Dham
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 3:06 PM
Share

બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આદરમિયાન બાગેશ્વર ધામમાંથી એક મહિલાના મોતના સમાચાર આવી રહ્યા છે. આ મહિલા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાની રહેવાસી હતી. છેલ્લા એક મહિનાથી તે તેના પતિ સાથે બાગેશ્વર ધામમાં રહેતી હતી. મહિલાને કિડનીની સમસ્યા હતી. મહિલાના પતિએ જણાવ્યું કે, આવતીકાલે તેની અરજી સ્વિકારવામાં આવવાની હતી, પરંતુ તે પહેલા જ તેની પત્નીનું મોત નીપજ્યું હતું.

હોસ્પિટલોમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે મહિલા છેલ્લા એક મહિનાથી બાગેશ્વર ધામમાં આવી હતી. મહિલાના પતિના જણાવ્યા અનુસાર, અગાઉ તેની પત્નીને રાહત મળી હતી. તેણીને ભભૂત આપવામાં આવ્યું હતું, જેનાથી તે સ્વસ્થ થઈ રહી હતી. પરંતુ, અચાનક તબિયત બગડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે તેમને બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર ખૂબ શ્રદ્ધા છે. આ કારણોસર તેઓ બાગેશ્વર ધામ આવ્યા હતા.

12 ફેબ્રુઆરીથી ગુમ છે એક યુવતી

બીજી તરફ બાગેશ્વર ધામના પ્રેત દરબારમાંથી એક યુવતી ગુમ હોવાનું કહેવાય છે. કુમારી નીરજ મૌર્ય ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના દેવકાલી જયરામના રહેવાસી ઓમપ્રકાશ મૌર્યની પુત્રી છે, જે 12 ફેબ્રુઆરી 2023 થી ગુમ છે. પિતાના કહેવા મુજબ તે પ્રેત દરબાર બાગેશ્વર ધામમાંથી ગુમ થઈ ગઈ છે. ઓમપ્રકાશ મૌર્ય લોકોને અપીલ કરી રહ્યા છે કે જે કોઈને પણ દીકરી વિશે ખબર હોય તેમણે તરત જ જાણ કરવી જોઈએ.

આ પણ વાંચો : VIDEO : બાગેશ્વર બાબાના સમર્થનમાં ‘ધર્મ સંસદ’, મોટી સંખ્યામાં સાધૂ-સંતો પહોંચ્યા

શ્યામ માનવે બાબા પર આરોપ લગાવ્યો

તમને જણાવી દઈએ કે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં, નાગપુરના મેલીવિદ્યા વિરોધી નિયમો જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિના સહ-અધ્યક્ષ શ્યામ માનવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને ભયનો દરબાર ગણાવ્યો હતો. શ્યામ માનવે કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ સિદ્ધિ નથી. તે એક ઢોંગ રચી રહ્યો છે. લોકોમાં અંધશ્રદ્ધાને પણ પ્રોત્સાહન આપે છે.

કોંગ્રેસના નેતા કમલનાથ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા બાગેશ્વરધામ ગયા હતા

ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં અનેક હિન્દુ સંગઠનો આવ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ પણ ધીરેન્દ્રનો પક્ષ લીધો છે. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો દાવો કરી રહ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ બાગેશ્વર ધામ ગયા હતા અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">