AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polluted Cities : દિલ્હી કરતા વધુ પ્રદૂષિત છે ભારતના 6 શહેરો, સૌથી સ્વચ્છ શહેરોમાં આ 10 શહેરોના નામ

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દેશના 10 સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરી છે. આ સાથે બોર્ડે કહ્યું કે દેશના આવા ઘણા નાના શહેરોની હવા મહાનગરો કરતા પણ ખરાબ છે. જેમાં રાજસ્થાનના ઝુંઝુનુ અને હરિયાણાના ફતેહાબાદ અને માનેસર શહેરોનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં પ્રદૂષણ બોર્ડે દિલ્હીની હવાને સંતોષકારક ગણાવી છે.

Polluted Cities : દિલ્હી કરતા વધુ પ્રદૂષિત છે ભારતના 6 શહેરો, સૌથી સ્વચ્છ શહેરોમાં આ 10 શહેરોના નામ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 12:14 PM
Share

માત્ર મોટા શહેરોમાં જ પ્રદૂષણની સમસ્યા નથી, દેશના નાના શહેરો પણ તેનો શિકાર બની રહ્યા છે. ઘણા નાના શહેરોની હાલત ખૂબ જ ખરાબ છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરો કરતાં અહીં વધુ પ્રદૂષણ છે. જેમાં રાજસ્થાનના ઝુંઝુનુ, હરિયાણાના માનેસર અને ફતેહાબાદ અને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો સમાવેશ થાય છે. 27 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આ પણ વાંચો: Gujarati Video : સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટનું કડક વલણ, કોર્પોરેશન અને GPCBએ નથી લીધા કડક પગલા : હાઈકોર્ટ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં હવાની ગુણવત્તા 129 છે, જે મધ્યમ શ્રેણીમાં છે. પરંતુ રાજસ્થાનના ઝુનઝુનુમાં હવાની ગુણવત્તા સૂચકાંક 208થી વધુ છે. આ ખૂબ જ ખરાબ અને ચિંતાજનક માનવામાં આવે છે. એ જ રીતે AQI ગ્રેટર નોઈડામાં 280, માનેસરમાં 201, ફતેહાબાદમાં 236 અને બર્નિહાટમાં 257 છે. આ શહેરોને પણ ખરાબ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

જ્યાં હવા સ્વચ્છ છે તે શહેરોના નામ

સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડના રિપોર્ટ અનુસાર લખનૌ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, ચંદીગઢ, પટના અને દિલ્હીમાં હાલ પ્રદૂષણથી ઘણી રાહત છે. હાલમાં, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પ્રદૂષણનું સ્તર 76 AQI છે, જ્યારે ચેન્નાઈમાં તે 84, હૈદરાબાદમાં 77 અને જયપુરમાં 104 છે. એ જ રીતે ચંદીગઢમાં AQI 79, પટનામાં 144 અને દિલ્હીમાં 129 નોંધાયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પોતાના રિપોર્ટમાં કેટલાક શહેરોની યાદી પણ જાહેર કરી છે જ્યાં હવા સ્વચ્છ છે.

0થી 50 AQI સારું માનવામાં આવે

આ શહેરોમાં અમરાવતી, ભિલાઈ, બારીપાડા, બેંગ્લોર, ચામરાજ નગર, ઋષિકેશ, બાગલકોટ, કોલકાતા, બરેલી ઉપરાંત શ્રીનગર, તિરુવનંતપુરમ, અરિયાલુર અને વારાણસી વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બોર્ડે હવાની ગુણવત્તા નક્કી કરવા માટે એક માનક બનાવ્યું છે. આમાં 0થી 50 AQI સારું માનવામાં આવે છે. જ્યારે 50થી 100 AQI સંતોષકારક માનવામાં આવે છે. 101થી 200 AQI મધ્યમ ગણવામાં આવે છે અને 201થી 300 AQI નબળો માનવામાં આવે છે. તે જ સમયે, આનાથી વધુ AQI ખૂબ જ ખરાબ અને ચિંતાજનક હોવાનું કહેવાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">