હોય કાંઈ..! અજમેરના આનાસાગર તળાવમાં 2000 રૂપિયાની નોટના બંડલ તરતા જોવા મળ્યા, જાણો ત્યારબાદ શું થયું?

અત્યાર સુધી લોકોની તિજોરીમાંથી રૂપિયા મળતા હતા પરંતુ આ ઘટના મુજબ તળાવમાંથી 2000 રૂપિયાની નોટો મળી આવી છે. આ નોટો અસલી છે કે નકલી એ હવે બેન્ક જણાવશે.

હોય કાંઈ..! અજમેરના આનાસાગર તળાવમાં 2000 રૂપિયાની નોટના બંડલ તરતા જોવા મળ્યા, જાણો ત્યારબાદ શું થયું?
2000 notes were found from Aanasagar Lake in Ajmer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 4:07 PM

રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) આવેલા આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં. સ્થાનિકો લોકોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યાં છે. પોલીસનું કહેવું છે કે, આ બંડલ નકલી લાગી રહ્યાં છે, જે કુલ 1.08 કરોડનાં છે, જો કે આ મળેલી નોટોના બંડલો ભીના હોવાને કારણે નોટો અસલી છે કે નકલી કંઈ સ્પષ્ટ થતું નથી. કેટલાક અજાણ્યા લોકો દ્વારા આ નોટો પાણીમાં ફેંકવામાં આવી હતી.

આ મળેલી તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) લખેલું છે. એ એકદમ 2000ની અસલી નોટની જેવી જ લાગતી હતી. તમામ નોટનાં બંડલ પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળ્યાં છે. આ ઘટના પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની છે.

ASI બલદેવ સિંહે જણાવ્યું હતું કે, આનાસાગર તળાવમાં 3 થેલીમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આનાસાગર તળાવમાં પડેલી નોટ જપ્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તળાવમાંથી મળેલી નોટ અસલી છે કે નકલી એ હમણાં ખ્યાલ આવતો નથી. પાણીમાં હોવાને કારણે બંડલો ભીના થઈ ગયા છે. મળી આવેલી તમામ નોટ પર રિઝર્વ બેંક લખેલું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોલીસે વધુ તપાસ કરી શરૂ

પોલીસના જણાવ્યા મુજબ આ અંગે ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય બેંક પાસેથી આ અંગેની જાણકારી લીધા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોને ફેંકી એ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી સ્પષ્ટ થઈ જાય કે આ નોટ આનાસાગરમાં ક્યાંથી આવી છે. હાલ પોલીસે નોટના બંડલોને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.

મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા

પહેલાં પણ આવી ઘટના ઘટી ચૂકી છે. જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટની નજીકથી 200 અને 500ની અસલી નોટ તરતી મળી આવી હતી. નોટ મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા તેમજ તરવૈયાઓ પણ તળાવમાં કૂદી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચીને તળાવમાં તરતા નોટોના બંડલોને જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું છે કે, કોઈ ઝાયરીનના તળાવમાં પડેલા પર્સમાંથી આ નોટ નીકળી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">