AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં 2.5 લાખ નવા કેસ નોંધાયા, 2.67 લાખ લોકોએ આપી કોરોનાને મ્હાત

દૈનિક સંક્ર્મણ દર 15.52 ટકા છે. નવા કેસની વાત કરવામાં આવે તો સોમવારની સરખામણીમાં આજે 50,190 ઓછા નવા કેસ જોવા મળ્યા છે. સોમવારે કોરોનાના 3,06,064 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં 2.5 લાખ નવા કેસ નોંધાયા, 2.67 લાખ લોકોએ આપી કોરોનાને મ્હાત
corona case in india ( PS : PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:19 AM
Share

ભારતમાં કોરોનાના (corona) કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના 2.5 લાખ નવા કેસ નોંધાયા છે અને 614 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સાજા થનારા લોકોની સંખ્યા 2.67 લાખ નોંધાઈ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22 લાખથી વધુ છે. તે જ સમયે, દૈનિક સંક્ર્મણ દર 15.52 ટકા અને સાપ્તાહિક ચેપ દર 17.17 ટકા છે. નવા કેસોમાં ઘટાડાની વાત કરીએ તો દેશમાં ગઈકાલની સરખામણીએ 50,190 ઓછા કેસ નોંધાયા છે, ગઈકાલે કોરોના વાયરસના 3,06,064 કેસ હતા.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 162.92 કરોડ ડોઝ  આપવામાં આવ્યા છે. તે જ સમયે, એક્ટિવ કેસોની સંખ્યા 22.36 લાખ છે, જે કુલ કેસના 5.62 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,67,753 કોરોના દર્દીઓએ મહામારીને મ્હાત આપી છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,70,71,898 થઈ ગઈ છે.

હાલમાં દેશમાં રિકવરી રેટ 93.15 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 71.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે 16,49,108  સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારે દેશમાં 62,29,956 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે કુલ રસીકરણનો આંકડો 1,62,92,09,308 પર પહોંચ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,77,12,517  સેશનમાં કરવામાં આવેલા રસીકરણને કારણે આ સફળતા મળી છે.

ગુજરાતમાં કોરોના કેસ(Corona case)નો ગ્રાફ ધીરે-ધીરે ઘટી રહ્યો છે. માત્ર બે દિવસમાં જ નવા કેસમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસની સંખ્યા ઘટીને 14 હજાર નીચે પહોંચી છે. જો કે એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 25 દર્દીના મોત (Death from corona) થયા હોવાનું સામે આવ્યુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 1 લાખ 35 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જે પૈકી 284 કોરોના દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 162.97 કરોડ (1,62,97,18,725) રસીઓ રાજ્યોને સપ્લાય કરવામાં આવી છે, જેમાંથી 13.42 કરોડ (13,42,75,821) રસીઓ હજુ બાકી છે.

આ પણ વાંચો : Republic Day: આતંકવાદી ઘૂસણખોરીને લઈને આંતરરાષ્ટ્રીય સરહદો પર ચેતવણી, હવામાનને ધ્યાનમાં લીધા વિના સૈનિકો ખડેપગે

આ પણ વાંચો  : Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંક રહેશે બંધ, રજાઓની યાદી જાણી લો નહીંતર ધક્કો પડશે

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">