અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધ ચાલુ

અત્યાર સુધીમાં એક મજુરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. જ્યારે 18 મજુરો હજુ પણ લાપતા છે. જાણકારી અનુસાર મજુરો દમિનમાં રસ્તાનું બાંધકામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના સામે આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધ ચાલુ
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યોImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 5:42 PM

India-China Border: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં ભારત-ચીન સરહદ (India-China Border) નજીક સ્થિત કુરુંગ કુમે જિલ્લા (Kurung Kumey District)માં 19 કામદારોના ગુમ થવાની ઘટનાને બે અઠવાડિયા વીતી ગયા છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અત્યાર સુધી એક મજુરનો મૃતદેહ કુમે જિલ્લાની નદીમાંથી મળી આવ્યો છે, જ્યારે 18 મજુરો હજુ પણ લાપતા છે, જાણકારી મુજબ આ મજુરો દામિનમાં રસ્તાના બાંધકામમાં લાગ્યા હતા. તે દરમિયાન મજુરો લાપતા થવાની ઘટના સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મજુરોએ પોતાના કોન્ટ્રાક્ટર પાસે ઈદના તહેવારની રજા માંગી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે તેમને રજા આપી નહીં, ત્યારબાદ તમામ મજુરો પગપાળા ત્યાંથી નાસવાની કોશિષ કરી અને તમામ કરુંગ કુમે જિલ્લાના જંગલમાં ગુમ થયા હતા.

મજુરો 5 જુલાઈના પ્રોજેક્ટ સાઈટ પરથી ગુમ

તમામ મજુરો 5 જુલાઈના પ્રોજેક્ટ સાઈટ પરથી ગુમ હતા, કુરંગ કુમે જિલ્લાના ડિપ્યુટી કમિશ્નર બેંગિયા નિધીના જણાવ્યા અનુસાર સોમવારના રોજ દામિન સર્કિલમાં આવેલી ફુરાક નદીમાંથી એક મજુરનો મૃતદેહ મળી આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ માટે પ્રોજેક્ટ સાઈટ પર એક પોલીસ ટીમ અને સીઓને મોકલવામાં આવ્યા છે. જે ગુમ મજુરોની શોધખોળ કરી રહ્યા છે, દામિન સર્કિલ ભારત ચીન સરહદ નજીક આવેલી છે, ગુમ મજુરોની શોધખોળ માટે એક રેસ્ક્યુ ટીમ પણ મોકલવામાં આવી છે. તે મજુરોની નદીમાં શોધખોળ કરશે.

આ પણ વાંચો

કોન્ટ્રાક્ટર પાસેથી મજુરો ગુમ થયાની જાણકારી મળી

રોડ બનાવવાનું કામ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેનું કામ પુરુ કરવા માટે આ મજુરોને પ્રોજેક્ટ સાઈટ પર લાવવામાં આવ્યા હતા, જે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદની પાસે છે, કમિશ્નરે જણાવ્યું કે ગુમ મજુરોમાં વધુ મુસ્લિમ સમુદાયના હતા, જે ઈદના તહેવારને લઈ 5 જુલાઈના રોજ પ્રોજેક્ટ સાઈટ પરથી નિકળ્યા હતા. તેમણે જણાવ્યું કે બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી મજુરો ગુમ થયાની જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">