AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arunachal Pradesh: હિમપ્રપાતમાં ફસાયેલા પેટ્રોલિંગ ટીમના 7 જવાનો શહિદ, ભારતીય સેનાએ આપી માહિતી

6 ફેબ્રુઆરીના રોજ, કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સૈન્યના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

Arunachal Pradesh: હિમપ્રપાતમાં ફસાયેલા પેટ્રોલિંગ ટીમના 7 જવાનો શહિદ, ભારતીય સેનાએ આપી માહિતી
Bodies of 7 indian army soldiers stuck in Avalanche recovered, Arunachal Pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:20 PM
Share

અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં (Avalanche) ફસાયેલા 7 ભારતીય સૈનિકો (Army Personnel) શહિદ થયા છે. ભારતીય સેનાએ (Indian Army) આ વાતની પુષ્ટિ કરી છે. માહિતી આપતા સેનાએ કહ્યું છે કે હિમસ્ખલન સ્થળ પરથી સાત જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હકીકતમાં 6 ફેબ્રુઆરીના રોજ કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સેનાના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું હતું કે સેનાના જવાનો પેટ્રોલિંગમાં સામેલ હતા અને તેઓ રવિવારે હિમપ્રપાતમાં ફસાઈ ગયા હતા.

માહિતી આપતાં એક સૂત્રએ જણાવ્યું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે નિષ્ણાતોની ટીમને એરલિફ્ટ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખરાબ છે અને ભારે હિમવર્ષા થઈ રહી છે.” મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન દુર્ઘટનામાં સૈનિકોના મૃત્યુની પીડાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બહાદુર જવાનોએ દેશની સેવામાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેમનું નિઃસ્વાર્થ બલિદાન હંમેશા યાદ રહેશે. મારા વિચારો તેમના પરિવાર સાથે છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના જવાનોના મોતથી દુઃખી છું. આપણે આપણા દેશ માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.

આ પણ વાંચો – મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ

આ પણ વાંચો – Corona: પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવી રહ્યો છે, જાણો શું છે કારણ

આ પણ વાંચો – UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના ‘વચન પત્ર’માં અખિલેશ યાદવની મોટી જાહેરાતો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">