YES Bank-DHFL Scam: મહારાષ્ટ્રના જાણીતા બિલ્ડર સંજય છાબરિયાની CBI એ કરી ધરપકડ

CBIનો આરોપ છે કે ધરપકડ કરાયેલા સંજય છાબરિયા (Builder Sanjay Chhabria Arrested) તપાસમાં સહકાર આપી રહ્યા નથી. સીબીઆઈ માર્ચ 2020થી આ કેસની તપાસ કરી રહી હતી.

YES Bank-DHFL Scam:  મહારાષ્ટ્રના જાણીતા બિલ્ડર સંજય છાબરિયાની CBI એ કરી ધરપકડ
Sanjay Chhabria ( File photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:44 AM

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) મહારાષ્ટ્રના જાણીતા બિલ્ડર સંજય છાબરિયાની ધરપકડ કરી છે (Builder Sanjay Chhabria Arrested). સંજય છાબરિયાની યસ બેંક-ડીએચએફએલ કૌભાંડ (YES Bank-DHFL Scam) માં ધરપકડ કરવામાં આવી છે. સંજય છાબરિયા રેડિયસ ગ્રુપના પ્રમોટર છે. 15 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ સંજય છાબરિયા અને તેમની કંપનીના 15 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા, જેમાં કેસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. CBIનો આરોપ છે કે સંજય છાબરિયા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. સીબીઆઈ માર્ચ 2020થી આ કેસની તપાસ કરી રહી હતી.

યસ બેંક કૌભાંડ કેસમાં સીબીઆઈએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ અને પુણે સહિત રેડિયસ ડેવલપર્સના 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ રેડિયસ ગ્રૂપના સંજય છાબરિયાના ઘરની પણ તપાસ કરી હતી. વાસ્તવમાં, રેડિયસ ડેવલપર્સેનું DHFL પાસે લગભગ રૂ. 3000 કરોડનું દેવું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા દ્વારા સીબીઆઈ એ લોકો પર કડક હાથે કાર્યવાહી કરી રહી છે જેમણે યસ બેંકમાંથી લોન લઈને લોન પરત ના કરી. બેંકમાંથી આપવામાં આવેલી લોન પાછી ના મળવાને કારણે બેંકની એનપીએ વધી ગઈ અને આરબીઆઈએ બેંકની કામગીરી પર નિયંત્રણો લાદવા પડ્યા હતા.

EDએ યસ બેંક કૌભાંડમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે

વર્ષ 2020ની શરૂઆતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આ કૌભાંડમાં પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર રાણા કપૂર અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે. EDએ તેની ચાર્જશીટમાં લખ્યું હતું કે રાણા કપૂરે નિયમોની અવગણના કરીને લોન આપી હતી, જેના બદલામાં અન્ય કંપનીઓ સાથે સંકળાયેલા આરોપીઓએ તેના પરિવાર સાથે સંબંધિત કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું હતું. EDને આ કેસમાં મની લોન્ડરિંગના પુરાવા પણ મળ્યા હતા, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે કપૂરે યસ બેંક દ્વારા DHFLને નાણાકીય સહાય આપવા માટે વાધવાન સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, કપૂરે પોતાની અને તેના પરિવારના સભ્યો માટે તેમની કંપનીઓ દ્વારા ગેરવાજબી લાભના બદલામાં આ કર્યું.

આ પણ વાંચો

આ પણ વાંચોઃ

શિવસેના સાંસદ રાહુલ શેવાલે પર બળાત્કારનો આરોપ, મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ પણ વાંચોઃ

Hanuman Chalisa Row: માસુમની ઈશ્વરને આજીજી! સાંસદ નવનીત રાણાની 8 વર્ષની પુત્રીએ કર્યો હનુમાન ચાલીસાનો પાઠ, માતા-પિતાની મુક્તિ માટે કરી પ્રાર્થના

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">