કોંગ્રેસે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરના આરોપોને ‘રાજકીય બદલો’ ગણાવ્યો, કહ્યું- સરકાર આ મુદ્દે રાજકારણ કરી રહી છે

કોંગ્રેસ (Congress) પાર્ટીએ રવિવારે આ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે કોઈપણ આધાર વિના ભાજપ આ મુદ્દાને ઉછાળવાનું કામ કરી રહ્યું છે. રવિવારે મીડિયાને સંબોધતા કોંગ્રેસે રાણા કપૂરના તમામ આરોપોને ફગાવી દીધા હતા.

કોંગ્રેસે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરના આરોપોને 'રાજકીય બદલો' ગણાવ્યો, કહ્યું- સરકાર આ મુદ્દે રાજકારણ કરી રહી છે
Sonia Gandhi - Rana Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 7:21 PM

યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂર દ્વારા કોંગ્રેસ (Congress) પર લગાવવામાં આવેલા આરોપોને લઈને નવો વિવાદ ઉભો થયો છે. કપૂરે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે તેના પર દબાણ કર્યું હતું. કપૂરે એમ પણ કહ્યું છે કે પેઇન્ટિંગ ખરીદ્યા પછી કોંગ્રેસને આપવામાં આવેલા પૈસાનો ઉપયોગ સોનિયા ગાંધીની ન્યૂયોર્કમાં સારવાર કરાવવા માટે કરવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસે કપૂરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને તેને ‘રાજકીય બદલો’ ગણાવ્યા. એટલું જ નહીં, પાર્ટીએ કપૂર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ રવિવારે આ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે કોઈપણ આધાર વિના ભાજપ આ મુદ્દાને ઉછાળવાનું કામ કરી રહ્યું છે. રવિવારે મીડિયાને સંબોધતા કોંગ્રેસે રાણા કપૂરના તમામ આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મીડિયાને સંબોધતા કહ્યું, એક વ્યક્તિ (રાણા કપૂર) જે વર્ષોથી જેલના સળિયા પાછળ છે. તે મૃત લોકો (મુરલી દેવરા અને અહેમદ પટેલ) પર આરોપ લગાવી રહ્યો છે અને સરકાર આ મુદ્દા પર હાથ મિલાવે છે કારણ કે તે તેમનો રાજકીય એજન્ડા છે.

ભાજપ માત્ર રાજનીતિ કરે છે – કોંગ્રેસ

સિંઘવીએ કહ્યું કે મોદી સરકાર 2022માં 2010ના ટ્રાન્ઝેક્શનને લઈને રાજનીતિ કરવા માંગે છે. તે પણ ત્યારે જ્યારે ન તો મુરલી દેવરા અહીં નકારવા માટે હાજર છે અને અહેમદ પટેલ પણ નથી. સરકાર પર નિશાન સાધતા રાજ્યસભા સાંસદે કહ્યું, તેનો હેતુ શું છે?’ સિંઘવીએ જણાવ્યું હતું કે, 2010નો વ્યવહાર એવા માણસને લગતો છે જે વર્ષોથી જેલના સળિયા પાછળ છે અને 20 થી 30 જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે. આ માણસ (રાણા) પણ મૃતકો પર આક્ષેપો કરી રહ્યો છે અને ભાજપ માત્ર રાજનીતિ કરી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પેઇન્ટિંગ ખરીદવા માટે ‘મજબૂર’

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈની કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ત્યારે આ મુદ્દો ગરમાયો હતો. ચાર્જશીટમાં કપૂરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે કપૂરને પ્રિયંકા ગાંધી પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે ‘મજબૂર’ કરી હતી અને પેઇન્ટિંગમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ગાંધી પરિવારે સોનિયા ગાંધીની ન્યૂયોર્કમાં સારવાર કરાવવા માટે કર્યો હતો.

આ પણ વાંચો : Mumbai : પીએમ મોદીને આજે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

આ પણ વાંચો : ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, પીએમ મોદીએ કહ્યું- સખત મહેનત માટે દરેક કાર્યકર્તાનો આભાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">