Vaccination in Maharashtra: 1 કરોડ લોકોને મળ્યા રસીના બંને ડોઝ, યુપી અને મહારાષ્ટ્રમાં ચાલી રહી છે કાંટાંની ટક્કર, જાણો ગુજરાત કયા નંબરે?

રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) સાંજના 4 વાગ્યા સુધીમાં એટલે કે એક દિવસમાં લગભગ સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ પૂરુ થઈ ગયું છે.

Vaccination in Maharashtra: 1 કરોડ લોકોને મળ્યા રસીના બંને ડોઝ, યુપી અને મહારાષ્ટ્રમાં ચાલી રહી છે કાંટાંની ટક્કર, જાણો ગુજરાત કયા નંબરે?
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:23 PM

મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે તેના 1 કરોડ રહેવાસીઓને રસી(vaccination)ના બંને ડોઝ આપી દીધા છે. આ રીતે મહારાષ્ટ્રે કોરોના સામેની લડતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એટલે કે 1 કરોડથી વધુ લોકોને એન્ટી-કોરોના રસીના બંને ડોઝ આપીને મહારાષ્ટ્રે (Maharashtra) તે લોકોને સંપૂર્ણ સુરક્ષા આપી છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ 1 કરોડ લોકોથી પણ વધારે લોકોને વેક્સિનના બંને ડોઝ આપીને સુરક્ષિત કરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગની પ્રશંસા કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અત્યાર સુધી 1,00,64,308 લોકો લઈ ચુક્યા છે બંને ડોઝ

રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) સાંજના 4 વાગ્યા સુધીમાં એટલે કે એક દિવસમાં લગભગ સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ પૂરુ થઈ ગયું છે. એટલે કે સાંજે 4 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં બંને ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 1,00,64,308 પર પહોંચી ગઈ છે.

અત્યાર સુધી 3,16,09,227 નાગરિકોને મળી ચુક્યો છે એક ડોઝ

વેક્સિનેશનના નવા નવા રેકોર્ડ મહારાષ્ટ્રના નામે નોંધાઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,16,09,227 નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. આજ રીતે શરૂ થયેલ વેક્સિનેશન અંતર્ગત બંને ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 1 કરોડના આંકડાંને વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ પાસેથી આ માહિતી મળી હતી.

સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 3,75,974 લોકોનું કરવામાં આવ્યું રસીકરણ

રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) લગભગ 4,100 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. તેમાં 3, 75,974 લોકોનું રસીકરણ સાંજ 4 વાગ્યા સુધી પૂર્ણ થયું હતું. આરોગ્ય વિભાગના  મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસના જણાવ્યા મુજબ મોડી સાંજ સુધીમાં આ સંખ્યામાં  વધારો થશે.

વેક્સિનેશનમાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે કાંટાંની ટક્કર, ગુજરાત છે ત્રીજા ક્રમે

ફક્ત એક ડોઝની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ રેકોર્ડમાં આગળ છે. ઉત્તર પ્રદેશમાં, 4.5 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. શનિવારે (24 જુલાઈ) ઉત્તરપ્રદેશે એક દિવસમાં 10 લાખ 6 હજારથી વધુ લોકોને રસી આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

એટલે કે જો આપણે મહારાષ્ટ્રમાં આજે સાંજે રસીકરણ કેન્દ્ર બંધ થવા સુધીના સમયનો અંદાજ લગાવીને 4.5 કરોડના આંકડાં સાથે સરખામણી કરીએ તો આ આંકડો સાડા ત્રણ કરોડ સુધી પહોંચી જશે. એટલે કે આ અર્થમાં મહારાષ્ટ્ર બીજા નંબર પર આવશે. આ સાથે જ એ પણ જણાવી દઈએ કે  ગુજરાત ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચો :  Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય

આ પણ વાંચો: આસામ મિઝોરમ સરહદે અથડામણ, આસામના છ પોલીસ જવાનો શહીદ, બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ટ્વિટર વોર, કેન્દ્રિય ગૃહપ્રધાનને હસ્તક્ષેપ કરવા કરી અપીલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">