AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર: અનિલ દેશમુખને સુપ્રીમકોર્ટમાંથી રાહત,સંપત્તિ પરત કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની (Anil Deshmukh) જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો છે. દેશમુખના વકીલ વિપુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ આદેશ આપતી વખતે કોર્ટે (ED)ને પણ ફટકાર લગાવી છે.

મહારાષ્ટ્ર: અનિલ દેશમુખને સુપ્રીમકોર્ટમાંથી રાહત,સંપત્તિ પરત કરવા આદેશ
Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:19 PM
Share

NCP નેતા અને મહારાષ્ટ્રના (maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને  (Anil Deshmukh) કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો છે. પુણેની NCP નેતા રૂપાલી પાટીલે ફેસબુક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. દેશમુખના વકીલ વિપુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ આદેશ આપતી વખતે કોર્ટે (ED)ને પણ ફટકાર લગાવી છે. મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) સ્પેશિયલ પીએમએલએ એક્ટ હેઠળ ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમના ઘર અને ઓફિસો પર દરોડા પાડીને કુલ 11 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ પછી અનિલ દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. હાલ તે મુંબઈની (Mumbai) આર્થર રોડ જેલમાં છે.

દેશમુખના પુત્ર અને પુત્રવધૂની સંપત્તિ પણ પરત કરવાનો આદેશ

દેશમુખની ધરપકડ બાદ EDએ અનિલ દેશમુખના અલગ-અલગ સ્થળો પર અનેક વખત દરોડા પાડ્યા હતા અને 11 મિલકતો જપ્ત કરી હતી. ED દ્વારા 180 દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કાયદા મુજબ 180 દિવસ પછી મિલકતો જપ્ત કરવામાં આવતી નથી. તેથી આ કેસને લઈને EDને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) દેશમુખના પુત્ર અને પુત્રવધૂની સંપત્તિ પણ પરત કરવાનો આદેશ આપ્યો છે.

CBI તપાસ દરમિયાન મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યો

100 કરોડની રિકવરી કેસમાં ED ઉપરાંત CBI અનિલ દેશમુખ સામે પણ તપાસ કરી રહી છે. બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય પોલીસ અધિકારીઓને અનિલ દેશમુખ દ્વારા મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની વસૂલાવાનુ કહેવામાં આવ્યુ હતુ. આ આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવ્યો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો. હાઈકોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ હજુ આ સંદર્ભે તપાસ કરી રહી હતી કે અનિલ દેશમુખના મની લોન્ડરિંગના અન્ય કેસ બહાર આવવા લાગ્યા. મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યા બાદ ED તપાસ માટે આગળ આવી હતી. આ પછી EDએ અનિલ દેશમુખની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

આ પણ વાંચો : મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક

Follow Us
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
g clip-path="url(#clip0_868_265)">