Aryan Khan Case Updates: NCB સમક્ષ હાજર થયો સેમ ડિસોઝા, કર્યા મહત્વના ખુલાસાઓ, શાહરૂખ ખાનની મેનેજર સાથે 25 કરોડની ડીલ પર શું કહ્યું?

એનસીબીની દિલ્હી ઓફિસની વિજિલન્સ ટીમે આજે સેમને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આર્યન ખાન કેસમાં કેસ દબાવવા માટે સેમે શાહરૂખ ખાનના મેનેજર સાથે 25 કરોડની ડીલના મામલામાં કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે.

Aryan Khan Case Updates: NCB સમક્ષ હાજર થયો સેમ ડિસોઝા, કર્યા મહત્વના ખુલાસાઓ, શાહરૂખ ખાનની મેનેજર સાથે 25 કરોડની ડીલ પર શું કહ્યું?
Sam D'souza Aryan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:30 PM

NCB દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા બાદ આજે (15 નવેમ્બર, સોમવાર) સેમ ડિસોઝા (Sam D’Souza) પૂછપરછ માટે હાજર થયો હતો. મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસ મામલે (Mumbai Cruise Drug Case) અને આર્યન ખાનને (Aryan Khan) આ કેસમાંથી બચાવવા શાહરૂખ ખાન (SRK)ના મેનેજર સાથે 25 કરોડની ડીલવાળા મામલાની સત્યતા જાણવા માટે સેમ ડિસોઝા ઉર્ફે સેનવિલે સ્ટેનલી ડિસોઝાને બોલાવવામાં આવ્યો હતો. એનસીબીની ટીમે સૈમનું નિવેદન નોંધ્યું છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

NCBની દિલ્હી સ્થિત વિજિલન્સ ટીમે સેમને બોલાવીને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. સેમ ડિસોઝાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તેણે કહ્યું કે સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ તેને ફોન પર કહ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તે નિર્દોષ છે. તેથી માનવતાની રીતે તેણે ગોસાવીનો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી દ્વારા સંપર્ક કરાવ્યો. ગોસાવી આ બાબતે કોઈ સોદો કરવા જઈ રહ્યો છે, તેની તેમને જાણ નહોતી. હવે NCBની SIT ટીમ પણ સેમ ડિસોઝાને પૂછપરછ માટે બોલાવશે.

‘આખો પ્લાન સુનિલ પાટીલ અને કિરણ ગોસાવીનો હતો’

પૂછપરછ પછી અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતી વખતે સેમ ડિસોઝાએ કહ્યું કે ‘આર્યન ખાનને બચાવવા માટે ડીલની આખી યોજના સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ ઘડી હતી. હું આ સોદામાં સામેલ નહોતો.

સોદો નક્કી થયા બાદ કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. મને ખબર ન હતી કે આવી કોઈ ડીલ થઈ રહી છે. મને તેના વિશે પછીથી ખબર પડી. જો મેં ડીલમાં ભાગ લીધો હોત તો મારા ખાતામાં પણ થોડા પૈસા આવવા જોઈતા હતા?

‘કિરણ ગોસાવી અને શાહરૂખની મેનેજર પૂજા દદલાણીની મિટીંગ થઈ હતી.’

સેમ ડિસોઝાએ પૂછપરછમાં જણાવ્યું કે તે કિરણ ગોસાવીને પહેલાથી ઓળખતો ન હતો. સુનિલ પાટીલ પાસેથી તેને ગોસાવીનો નંબર મળ્યો હતો. તેણે ગોસાવીનો નંબર એનસીબીને મોકલી આપ્યો હતો. એટલે કે સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે એક તરફ તેણે ગોસાવીનો NCB અધિકારીઓ સાથે અને બીજી તરફ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી સાથે સંપર્ક કરાવ્યો હતો. પરંતુ પૂછપરછમાં સેમ ડિસોઝાએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેને કોઈપણ પ્રકારની ડીલ થઈ રહી હોવાની જાણ હતી.

સેમે જણાવ્યું કે જ્યારે આર્યનની નિર્દોષ હોવાની વાત સામે આવી ત્યારે તેણે ગોસાવીનો પૂજા અને NCB સાથે સંપર્ક માનવતાના નાતે સંપર્ક કરાવ્યો. સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે 3 ઓક્ટોબરના રોજ ગોસાવી અને પૂજા દદલાણી વચ્ચે મુલાકાત થઈ હતી. પરંતુ તેને આ ડીલ વિશે કોઈ જાણકારી નહોતી. દરમિયાન, સેમના વકીલ પંકજ જાધવે કહ્યું કે સેમના જીવને ખતરો છે, તેથી તેને સુરક્ષા મળવી જોઈએ.

‘સમીર વાનખેડેને માત્ર એક જ વાર મળ્યો’

સેમ ડિસોઝાએ કહ્યું કે તે સમીર વાનખેડેને માત્ર એક જ વાર મળ્યો છે. એનસીબીના અન્ય અધિકારી વીવી સિંહ સાથે લીક થયેલી ઓડિયો ક્લિપ અંગે સેમે કહ્યું કે એનસીબીએ તેમને વીડ બેકરીના કેસમાં નોટિસ મોકલી હતી. તે ઓડિયો ક્લિપમાં તે સંબંધિત અધિકારી સાથે આ અંગે વાત કરી રહ્યો હતો. પરંતુ તેણે NCB અધિકારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાની વાત છુપાવી ન હતી.

‘માસ્ટર માઈન્ડ સુનીલ પાટીલ છે’

સેમ ડિસોઝાએ એ પણ જણાવ્યું કે સુનીલ પાટીલ ગોસાવી અને પ્રભાકર સાઈલને ઓર્ડર આપી રહ્યા હતા. સુનિલ પાટીલ ગોસાવીને ઓળખતો હતો. સેમ ડિસોઝાના કહેવા પ્રમાણે સુનીલ પાટીલે ગોસાવીને એવી રીતે ભેળવી દીધો કે તે કોઈ ઈન્ટેલિજન્સ ઓફિસર છે. પાછળથી મને ખબર પડી કે આ માણસ ઠગ છે. સેમ ડિસોઝાએ કહ્યું, ‘પ્રભાકર સાઈલે સુનીલ પાટીલના કહેવા પર 50 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

સુનીલ પાટીલે જ મને કહ્યું કે તેની પાસે ડ્રગની ટીપ છે. તેના કહેવા પર મેં ગોસાવીનો NCB અધિકારીઓ સાથે સંપર્ક કરાવ્યો. બાદમાં જ્યારે મને ખબર પડી કે સુનીલ પાટીલ અને ગોસાવી છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે મેં પૈસા પાછા અપાવ્યા. આ સમગ્ર ખેલ સુનિલ પાટીલ, કિરણ ગોસાવી, પ્રભાકર સાઈલ, મનીષ ભાનુશાલી દ્વારા રચવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રની ધરા ધ્રુજી ! આ જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">