AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રની ધરા ધ્રુજી ! આ જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ રત્નાગીરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા જિલ્લાના સાખરપા, સંગમેશ્વર અને દેવરૂખ વિસ્તારમાં વધુ અનુભવાઈ હતી.

મહારાષ્ટ્રની ધરા ધ્રુજી ! આ જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ
Earthquake ( symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 2:23 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોની ચિંતા વધી છે. તમને જણાવી દઈએ કે, રત્નાગિરી જિલ્લાના (Ratnagiri district) સાખરપા, સંગમેશ્વર અને દેવરુખ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અહેવાલો અનુસાર રાત્રે 2.30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની (Earthquake) જાણ થતાં જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ રત્નાગીરી જિલ્લામાં રાત્રે 2.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા જિલ્લાના સાખરપા, સંગમેશ્વર અને દેવરૂખ વિસ્તારમાં વધુ અનુભવાઈ હતી. તેની તીવ્રતા ચાર રિક્ટર સ્કેલ પર અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી (Mumbai) લગભગ 350 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યુ છે.

એક મહિનામાં બીજી વખત ભૂકંપ

રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા મળતી માહિતી મુજબ હાલ પરિસ્થિતિ સ્થિર છે. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં એક મહિનામાં બે વખત ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત થયા છે. સ્થાનિક પ્રશાસને (Local Administration) પણ લોકોને સલામત રહેવા અને સાવચેતી રાખવા જણાવ્યુ છે. આ ઘટના વિશે જણાવતા સ્થાનિક લોકોએ કહ્યું કે, ટેબલ, ખુરશી ધ્રુજતા અમે બહાર દોડી આવ્યા હતા. જો કે મોડી રાત્રે આ ભુકંપ આવતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો: છત્રપતિ શિવાજીના ઈતિહાસને ઉજાગર કરનાર પદ્મ વિભૂષણથી સન્માનિત પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">