TRP કૌભાંડ મામલે રિપબ્લિક ટીવીના સીએફઓ મુંબઇ પોલીસ સામે હાજર થશે

રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે આરોપોના મામલે તે મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ સામે દાવો કરશે. રિપબ્લિક ટીવીના સીએફઓ શિવા સુબ્રમણ્યમ સુંદરમ આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે. આ ચૈનલ પર આરોપ છે કે તેને લોકોને ચૈનલની રેટિંગ્સ વધારવા માટે ચૂકવણી કરી હતી અને ગેરકાયદેસર રીતે વધારે આવક મેળવી હતી. ટેલિવિઝન વ્યૂઅરશિપને […]

TRP કૌભાંડ મામલે રિપબ્લિક ટીવીના સીએફઓ મુંબઇ પોલીસ સામે હાજર થશે
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Oct 10, 2020 | 3:34 PM

રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે આરોપોના મામલે તે મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ સામે દાવો કરશે. રિપબ્લિક ટીવીના સીએફઓ શિવા સુબ્રમણ્યમ સુંદરમ આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે. આ ચૈનલ પર આરોપ છે કે તેને લોકોને ચૈનલની રેટિંગ્સ વધારવા માટે ચૂકવણી કરી હતી અને ગેરકાયદેસર રીતે વધારે આવક મેળવી હતી.

ટેલિવિઝન વ્યૂઅરશિપને નજર રાખતી એજન્સી- બીએઆરસી એ (Broadcast Audience Research Council)  ગુરુવારે આ કૌભાંડના મામલે કરેલા ખુલાસા બાદ પહેલો સમન્સ રિપબ્લિક ટીવીની સીએફઓ સુંદરમને પાઠવવામાં આવેલો છે. આક્ષેપ છે કે અમુક ચેનલો દ્વારા ટીઆપરી સંખ્યાને ઉછાળવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસ મુજબ પ્રારંભિક પૂછપરછમાંથી રિપબ્લિક ટીવીનું નામ બહાર આવ્યુ છે. સાથેજ અન્ય બે સ્થાનિક ચેનલો “ફકત મરાઠી” અને “બોક્સ સિનેમા” નું પણ નામ સામે આવ્યુ છે. હાલ આ મામલે બે નાની ચેનલોના માલિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, મુંબઈની સ્થાનિક અદાલતે શુક્રવારે ‘ટીઆરપી કૌભાંડ’ માં આરોપી ચાર લોકોને 13 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
હવે રિપબ્લિક ટીવીના ખાતાઓનું “ફોરેન્સિક ઓડિટ” હાથ ધરવાનો પોલીસનો ઇરાદો છે, જેમાં ખાસ કરીને તપાસ કરાશે કે ચેનલ દ્વારા હાઈ રેટિંગ્સનો ઉપયોગ કરીને એડ્વર્ટાઇઝિંગ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે કે કેમ.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં બીએઆરસી દ્વારા નિયુક્ત કંપની હંસા રિસર્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે દર્શકોનો ટ્રેક કરવા માટે “પીપલ મીટર” સ્થાપિત કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ ગ્રાહકોને ટ્રેક કરવામાં આવ્યા હોવાની વિગતો શેર કરી હતી અને રેગ રેટિંગમાં મદદ કરી હતી.

મુંબઈ પોલીસે હવે ટીઆરપી કૌભાંડની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાંચ Economic offence wing સાથે મળીને તપાસ શરૂ કરી છે. EOW નકલી ટીઆરપી દ્વારા મેળવેલા જાહેરાતની આવકના સંદર્ભમાં ગુનાની રકમ, fund diversion પર ધ્યાન આપશે. મુંબઇ EOW ના ડીસીપી પરાગ માનેરે નાણાકીય બાબતો પર ધ્યાન આપશે. તદુપરાંત, નિષ્ણાત ફોરેન્સિક ઓડિટર્સ રિપબ્લિક અને અન્ય બે ચેનલોની નાણાકીય બાબતો પર ફોરેન્સિક ઓડિટ્સ શોધશે. આ પૂરા મામલે ઇંડિયા ટૂડે ગ્રૂપનું નામ પણ મુબઈ પોલીસની લિસ્ટમાં શામિલ છે.

આ પણ વાંચોઃમુંબઈના ગોરેગાવના ડાન્સ બાર પર દરોડા, 20 લોકોની ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">