રાજ ઠાકરેની (Raj Thackeray) પાર્ટી મનસેના કાર્યકરો ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા ગૌમાંસના વેચાણના વિરોધમાં ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને તેની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
MNS Workers protest against beef sell
Follow Us:
મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ બાદ હવે રાજ ઠાકરેની (Raj Thackeray) પાર્ટી મનસેના કાર્યકર્તાઓ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા ગો માંસ વેચાણના (Beef Sell) વિરોધમાં ઉતરી આવ્યા છે. મનસે કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના ગૃહમંત્રીને પત્ર લખીને સ્વિગી કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. મનસે કાર્યકર્તાઓનો આરોપ છે કે ‘Swiggy‘ સહિતની ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ ખુલ્લેઆમ બીફ વેચી રહી છે અને આ અંગે જાહેરાતો આપી રહી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને તેની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
મનસે કાર્યકર્તાઓની માગ છે કે સંબંધિત કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે જો કાર્યવાહી નહીં થાય તો મનસે રસ્તા પર ઉતરીને તેની સામે આંદોલન કરશે. મુંબઈના થનારી ગોમાંસ વેચાણને લઈને મનસેના અંધેરી વિધાનસભાના વિભાગ અધ્યક્ષ રોહન સાવંત, ઉપાધ્યક્ષ ચેતન પેડનેકર અને વિજય જૈન ગુરુવારે ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટિલને મળ્યા હતા અને કાર્યવાહીની માગ કરી હતી.
મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની માગ
2 એપ્રિલે મુંબઈના દાદર શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ થશે. આ પછી રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો સુપર એક્ટિવ થઈ ગયા. બીજા જ દિવસે, મુંબઈના ઘાટકોપરમાં હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરવામાં આવી હતી. પછી આ મામલો સમગ્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ કર્ણાટક અને બિહારમાં પણ ફેલાઈ ગયો.
હવે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ એવો મુદ્દો ઉઠાવ્યો છે કે ગૌ માંસ પર વેચાણ હોવા છતાં કેટલીક ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ ગાયનું માંસ ખુલ્લેઆમ વેચી રહી છે. આને તાત્કાલિક અટકાવવા જોઈએ. આની સામે પગલાં લેવા MNS કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલને અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે રાજ ઠાકરેની મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવાની ભૂમિકાને લઈને પુણેના MNS નેતા વસંત મોરેને પાર્ટીના પદ પરથી હટી જવું પડ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમના વિસ્તારમાં 70 ટકા મુસ્લિમ મતદારો છે. તેઓના સુખ-દુઃખમાં તેઓ સહભાગી થયા છે. તેઓને કયા મોઢે આવું કરવાનું કહેવું જોઈએ?વસંત મોરે ઉપરાંત પુણેના અન્ય ચાર પક્ષના હોદ્દેદારોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.