AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી, મુંબઈ હાઈકોર્ટે કહ્યું, સ્વાસ્થ્ય સમસ્યાઓ સ્પષ્ટપણે જાણાવો

Bombay High Court: મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી સાથે સંબંધિત સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે.

Maharashtra: અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી, મુંબઈ હાઈકોર્ટે કહ્યું, સ્વાસ્થ્ય સમસ્યાઓ સ્પષ્ટપણે જાણાવો
Anil Deshmukh
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 3:37 PM
Share

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી સાથે સંબંધિત સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે. કોર્ટે દેશમુખને આરોગ્ય સંબંધિત કારણો સ્પષ્ટપણે જણાવવા કહ્યું છે. જેના આધારે તેઓ તેમના જામીન માટે તાત્કાલિક સુનાવણીની માંગ કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) અનિલ દેશમુખને જામીન આપવાનો વિરોધ કરી રહ્યું છે. EDએ અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો છે. ED અનિલ દેશમુખના જામીનનો વિરોધ કરી રહી છે. આજે (8 એપ્રિલ, શુક્રવાર) અનિલ દેશમુખની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણો સ્પષ્ટપણે જણાવવા જોઈએ જેના આધારે તેમને લાગે છે કે તેમના જામીન પર તરત જ વિચાર કરવામાં આવે.

હાઈકોર્ટે કહ્યું કે, જો અનિલ દેશમુખ સ્વાસ્થ્ય સંબંધિત આધાર પર જામીન ઈચ્છે છે તો કોર્ટ આ આધાર પર જ સુનાવણી કરશે. દેશમુખે તેમના સ્વાસ્થ્ય અને બીમારીની સ્થિતિ અંગે સ્વતંત્ર સોગંદનામું રજૂ કરવું જોઈએ. જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈએ અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમને આ વાત કહી. દેશમુખના વકીલે વહેલી સુનાવણીની અપીલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, દેશમુખ પહેલા પણ ઘણી અરજીઓ સુનાવણી માટે પેન્ડિંગ છે. તેને બાયપાસ કરીને, દેશમુખની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવી યોગ્ય રહેશે નહીં. કોર્ટે કહ્યું કે, જે તબીબી આધાર પર તેઓ જામીન માંગી રહ્યા છે, તેમણે અલગ અરજી દાખલ કરીને તેની માંગણી કરવી જોઈએ.

ED અનિલ દેશમુખના જામીનનો વિરોધ કરી રહી છે

અગાઉ, EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નામ આ સમગ્ર કેસના માસ્ટરમાઇન્ડ તરીકે જાહેર કર્યું હતું. દેશમુખના જામીનનો વિરોધ કરતાં, EDએ કોર્ટમાં કરેલી તેની અપીલમાં જણાવ્યું હતું કે, તેઓ એ કહી શક્યા નથી કે ભ્રષ્ટાચારના કારણે તેમની સંપત્તિનો સ્ત્રોત શું છે. શુક્રવારે જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈ સમક્ષ અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણીમાં ASG અનિલ સિંહે સ્પષ્ટ કર્યું કે, દેશમુખની અરજીના દરેક મુદ્દા પર બોલવા માટે કંઈ નવું નથી. તેથી, જ્યારે સુનાવણી થશે, ત્યારે તે કોર્ટ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરશે.

EDએ કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, દેશમુખથી મોટી ઉંમરના લોકો પણ જેલમાં છે. તેથી, આ આધાર પર જામીન પર મુક્ત થવાની કોઈ દલીલ નથી. જો તેઓને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. EDએ એ પણ જણાવ્યું કે, દેશમુખ પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી. જણાવી દઈએ કે 2 નવેમ્બરે EDએ અનિલ દેશમુખની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં સીબીઆઈ તેને આર્થર રોડ જેલમાંથી પણ પોતાની કસ્ટડીમાં લઈ રહી છે અને 100 કરોડની રિકવરી કેસમાં પૂછપરછ શરૂ કરી રહી છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">