AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી

અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા ચર્ચાઓમાં બની રહેવા માટે જાણીતી છે. મલાઇકા તેની કીલર ફેશન સેન્સ અને હોટ જિમ આઉટફિટ્સના કારણે પાપરાઝીઓની પહેલી પસંદ છે.

અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી
Malaika Arora (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:00 PM
Share

બોલિવુડની (Bollywood) જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાનો (Malaika Arora) આજ રોજ (02/04/2022) કાર અકસ્માત થયો છે. તેની કાર મુંબઈથી (Mumbai) નજીક આવેલા પનવેલ વિસ્તારમાં ક્રેશ થઈ છે. મલાઈકા અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાજ ઠાકરેની પાર્ટી MNSના કાર્યકરોએ તેણીને હોસ્પિટલ ખસેડી છે. મુંબઈથી નજીક આવેલા પનવેલ વિસ્તાર પાસે ડ્રાઈવિંગ કરતી વખતે મલાઈકાના ડ્રાઈવરનું બેલેન્સ બગડતા તેણે કારને રાજ ઠાકરેની મીટિંગમાં હાજરી આપવા પૂણેથી જઈ રહેલા કાર્યકરોના ત્રણ વાહનો સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે મલાઈકાની આંખોમાં ઈજા થઈ છે. અત્યારે મલાઈકાને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

MNS કાર્યકરોએ મરાઠી ન્યૂઝ વેબસાઈટ લોકસત્તાને આ માહિતી આપી છે. MNS કાર્યકાર જયરાજ લાંડગેના જણાવ્યા અનુસાર, ‘અમે અમારી પાર્ટીના વડા રાજ ઠાકરેની બેઠકમાં હાજરી આપવા પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ પનવેલ નજીક મલાઈકા અરોરાની કારનું ડ્રાઈવરનું સંતુલન બગડી ગયું હતું અને MNS કાર્યકરોના ત્રણ વાહનો સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં મલાઈકાને આંખમાં ઈજા થઈ છે. અમે તેને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાવી છે. મલાઈકાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ MNS પાર્ટીના કાર્યકરો મુંબઈ તરફ આગળ વધ્યા હતા.

MNS કાર્યકર્તાઓને દાદ મળી રહી છે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સંકળાયેલા જનહિત સંગઠનના સેક્રેટરી જયરાજ લાંડગે અને તેમના સાથી કાર્યકરોએ તેમની મુસાફરી અધવચ્ચે જ અટકાવીને અને મલાઈકા અરોરાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ જે માનવતા દાખવી તેના વખાણ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ કાર્યક્રમ હોવા છતાં, તેમણે અકસ્માતમાં પ્રથમ વ્યક્તિ તરીકેની જવાબદારી લીધી, બાદમાં તેઓ તેમની પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા. તેમના આ માનવતાપૂર્ણ કામ બદલ તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સદનસીબે મલાઇકાને અકસ્માતને કારણે આંખના અંદરના ભાગે કોઈ ઈજા થઈ નથી. આ કારણે તેણી સારવાર કરાવ્યા બાદ જલ્દી સ્વસ્થ થઈ જશે, તેવું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલીના ગોમેઝ જોવા મળી ન્યુ હેર સ્ટાઇલમાં, લોકો થઈ રહ્યા છે ફીદા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">