AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

ગયા અઠવાડિયે રદ થયેલી મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટ બેઠક આજે બુધવારે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેને નિયંત્રણમાં લેવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોનાને નાથવા સંવાદ :  વડાપ્રધાન  મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:18 PM
Share

દેશભરમાં કોરોના સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister)  સાથે વાતચીત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ આ સંવાદમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, 30 મુખ્યમંત્રીઓ આ વીડિયો કોન્ફરન્સિંગમાં હાજરી આપશે.

આજે રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે

આ ઉપરાંત મહારાષ્ટ્ર સાથે જોડાયેલી બીજી મહત્વની વાત એ છે કે, ગત અઠવાડિયે રાજ્યના કેબિનેટની બેઠક (Cabinet Committee) 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના સંક્રમિત થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્ર અને કેન્દ્રના દિગ્ગજ નેતા સાંસદ રામદાસ તડસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ગયા અઠવાડિયે રદ થયેલી રાજ્ય કેબિનેટની  બેઠક આજે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેનાથી નિપટવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરે પર અનેક સવાલો

ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને રાજ્યમાં સતત ચર્ચાઓ થઈ રહી છે. સર્વાઇકલ સ્પાઇન સર્જરીને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બહુ સક્રિય નથી. તેથી વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો CM રજા પર છે તો શરદ પવારને સત્તાવાર રીતે ચાર્જ કેમ નથી આપવામાં આવી રહ્યો ?

દેશમાં કોરોના સંબંધિત સ્થિતિ

સમગ્ર દેશમાં ફરી કોરોનાનો (Corona Case) કહેર વધ્યો છે. સોમવારની સરખામણીમાં મંગળવારે 15 ટકાથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 લાખ 94 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 33 હજાર 470 કેસ અને મંગળવારે 34 હજાર 424 કેસ નોંધાયા હતા. અગાઉ મહારાષ્ટ્રનો આંકડો સતત 40 હજારને પાર કરી રહ્યો હતો. મુંબઈમાં પણ સોમવારની સરખામણીએ મંગળવારે 2000 ઓછા કેસ નોંધાયા હતા. ત્યારે હાલ કોરોના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત

Follow Us
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">