AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

ગયા અઠવાડિયે રદ થયેલી મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટ બેઠક આજે બુધવારે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેને નિયંત્રણમાં લેવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોનાને નાથવા સંવાદ :  વડાપ્રધાન  મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ
Maharashtra CM Uddhav Thackeray & PM Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:18 PM
Share

દેશભરમાં કોરોના સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister)  સાથે વાતચીત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ આ સંવાદમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, 30 મુખ્યમંત્રીઓ આ વીડિયો કોન્ફરન્સિંગમાં હાજરી આપશે.

આજે રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે

આ ઉપરાંત મહારાષ્ટ્ર સાથે જોડાયેલી બીજી મહત્વની વાત એ છે કે, ગત અઠવાડિયે રાજ્યના કેબિનેટની બેઠક (Cabinet Committee) 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના સંક્રમિત થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્ર અને કેન્દ્રના દિગ્ગજ નેતા સાંસદ રામદાસ તડસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ગયા અઠવાડિયે રદ થયેલી રાજ્ય કેબિનેટની  બેઠક આજે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેનાથી નિપટવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરે પર અનેક સવાલો

ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને રાજ્યમાં સતત ચર્ચાઓ થઈ રહી છે. સર્વાઇકલ સ્પાઇન સર્જરીને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બહુ સક્રિય નથી. તેથી વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો CM રજા પર છે તો શરદ પવારને સત્તાવાર રીતે ચાર્જ કેમ નથી આપવામાં આવી રહ્યો ?

દેશમાં કોરોના સંબંધિત સ્થિતિ

સમગ્ર દેશમાં ફરી કોરોનાનો (Corona Case) કહેર વધ્યો છે. સોમવારની સરખામણીમાં મંગળવારે 15 ટકાથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 લાખ 94 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 33 હજાર 470 કેસ અને મંગળવારે 34 હજાર 424 કેસ નોંધાયા હતા. અગાઉ મહારાષ્ટ્રનો આંકડો સતત 40 હજારને પાર કરી રહ્યો હતો. મુંબઈમાં પણ સોમવારની સરખામણીએ મંગળવારે 2000 ઓછા કેસ નોંધાયા હતા. ત્યારે હાલ કોરોના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">