AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહામારી સાથે માવઠાનો માર : ભરશિયાળે આ રાજ્યમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ગુરુવાર સુધી રાજ્યમાં નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

મહામારી સાથે માવઠાનો માર : ભરશિયાળે આ રાજ્યમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Rain Forecast in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 12:26 PM
Share

Maharashtra Weather Update :  ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદની સાથે આ વિસ્તારોમાં ઠંડી વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના (Indian Metrological Department) જણાવ્યા અનુસાર, નાગપુર (Nagpur) સહિત પૂર્વ વિદર્ભના ઘણા જિલ્લાઓમાં મંગળવારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને પગલે વિદર્ભ પ્રદેશના ઘણા શહેરોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ(Rain Forecast)  થવાની સંભાવના છે.

જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, પુણે, થાણે સહિત મહારાષ્ટ્રના(Maharashtra)  ઘણા ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. મુંબઈ-થાણે (Mumbai-Thane) સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં આ ઘટાડો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. નાગપુર અને વિદર્ભ ક્ષેત્રના અન્ય ભાગોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. આ સાથે આજે પણ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ વાદળછાયું આકાશ રહેશે.હાલ વરસાદની આગાહીને પગલે જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઘણા શહેરોમાં વરસાદની આગાહી

IMD અનુસાર, મુંબઈમાં આજે મહત્તમ તાપમાન 29 અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બીજી તરફ, પુણેમાં મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ત્યારે હાલ ભરશિયાળે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી વિદર્ભના નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લાઓ માટે ‘યલો’ એલર્ટ જાહેર કર્યુ છે.

 ચક્રવાતી પવનોને કારણે થશે વરસાદ

નાગપુરના હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમએલ સાહુએ જણાવ્યુ હતુ કે, વિદર્ભમાં વરસાદ હરિયાણા અને ઉત્તર મધ્યપ્રદેશ પર ચક્રવાતી પવનોને કારણે છે. આ સિવાય IMDએ પણ દિવસ દરમિયાન નાગપુર અને વર્ધા જિલ્લામાં કરા પડવાની આગાહી કરી છે.

આ પણ વાંચો : Coronavirus In Maharashtra: મહારાષ્ટ્ર માટે બીજા દિવસે પણ રાહતના સમાચાર, નવા કેસ 35 હજારથી ઓછા અને 22 લોકોના મોત

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">