AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron in Maharashtra: ઓમિક્રોનનો ગઢ બની રહ્યું છે મહારાષ્ટ્ર, વધુ 4 દર્દી મળી આવ્યા બાદ આંકડો 32 પર પહોંચ્યો

મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાના 6,467 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં વધુ 4 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે, જેના કારણે નવા વેરીઅન્ટથી સંક્રમિતોની કુલ સંખ્યા 32 પર પહોંચી ગઈ છે.

Omicron in Maharashtra: ઓમિક્રોનનો ગઢ બની રહ્યું છે મહારાષ્ટ્ર, વધુ 4 દર્દી મળી આવ્યા બાદ આંકડો 32 પર પહોંચ્યો
file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:35 PM
Share

બુધવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના 925 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ રોગને કારણે 10 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. હાલમાં રાજ્યમાં 6,467 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં વધુ 4 દર્દીઓ ઓમિક્રોન (Omicron)થી સંક્રમિત મળી આવ્યા છે, જે સંક્રમિતોની સંખ્યા 32 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે ક્રિસમસ (Christmas) અને નવા વર્ષને (New Year) લઈને આદેશ જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટી ઈવેન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે ધાર્મિક સ્થળો ખુલ્લા છે, ત્યાં ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ક્યાં ઓમીક્રોનના કેટલા કેસ?

મુંબઈમાં – 13 પિંપરી ચાંદીવાડમાં – 10 પુણેમાં – 2 ઉસ્માનાબાદમાં – 2 કલ્યાણ ડોમ્બિવલીમાં – 1 નાગપુરમાં – 1 લાતુરમાં – 1 વસઈ વિરારમાં – 1 બુલઢાણામાં – 1

ઓમિક્રોન કેસ બંગાળ અને તેલંગાણામાં પણ જોવા મળ્યા છે

આ સાથે બુધવારે ઓમિક્રોનના બંગાળમાં એક અને તેલંગાણામાં બે કેસની પુષ્ટિ થઈ છે. બંગાળમાં સાત વર્ષના બાળકમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું કે આ બાળક અબુ ધાબીથી હૈદરાબાદ થઈને પશ્ચિમ બંગાળ પરત ફર્યો છે. તે કોલકાતા એરપોર્ટથી માલદા તેના સંબંધીને મળવા ગયો હતો. તેને મુર્શિદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દેશમાં ઓમિક્રોનના 67 કેસ

દેશમાં અત્યાર સુધીમાં 67 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. WHO અનુસાર અત્યાર સુધીમાં 77 દેશમાં તેની પુષ્ટિ થઈ છે. આ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે ઓમિક્રોને વિશ્વની ચિંતા વધારી છે.

આ પણ વાંચો :  Mumbai : ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરી ને ? BMCએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">