AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

સોશિયલ મીડિયા પર આતંકવાદ સંબંધિત આવી પોસ્ટને અપડેટ કરવી કે કોમેન્ટ કરવી અથવા શેર કરવી તે આતંકવાદીઓને સમર્થન આપનાર માનવામાં આવશે અને કાયદામાં આવા યુઝર્સ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ
Jammu Kahsmir Police
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:33 PM
Share

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) રાજ્યમાં આતંકવાદને ખતમ કરવા માટે દરેક સંભવિત પ્રયાસો અને વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહી છે જે ચિંતાનો પડકાર બની ગયો છે. પોલીસ ખાસ કરીને એવા સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ્સ પર નજર રાખી રહી છે જે ઘાટીમાં શાંતિ ભંગ કરવા, સાંપ્રદાયિક તણાવ ફેલાવવા, આતંકવાદી અને આતંકવાદ તરફી પોસ્ટ્સ શેર કરવા અને યુવાનોને કટ્ટરપંથી તરફ ધકેલવામાં રોકાયેલા છે.

સૂત્રોનું માનીએ તો સાયબર પોલીસે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ એવા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે જે દેશ વિરોધી અથવા રાજ્ય વિરોધી તત્વો દ્વારા ચલાવવામાં આવતા હતા અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

જમ્મુ અને કાશ્મીર પોલીસે લોકોને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત એક જાહેરાત આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર આતંકવાદ સંબંધિત આવી પોસ્ટને અપડેટ કરવી કે કોમેન્ટ કરવી અથવા શેર કરવી તે આતંકવાદીઓને સમર્થન આપનાર માનવામાં આવશે અને કાયદામાં આવા યુઝર્સ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવા મામલામાં UAPAની કલમ 13 અને 18 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીનગરમાં આતંકવાદી હુમલો

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. હકીકતમાં સંસદ પર હુમલાની 20મી વર્ષગાંઠ પર આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને નિશાન બનાવ્યા જેમાં 2 પોલીસકર્મીઓ શહીદ થયા.

શ્રીનગરની સીમમાં જેવાનમાં આતંકવાદીઓ દ્વારા પોલીસ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બસ જમ્મુ-કાશ્મીરની 9મી બટાલિયન આર્મ્ડ પોલીસની હતી. આતંકવાદીઓએ આ બસ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ પોલીસ જવાન શહીદ થયા હતા અને 12 જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે (Terrorist Group Kashmir Tigers) લીધી હતી.

આ પણ વાંચો: South Africa: દક્ષિણ આફ્રિકન ક્રિકેટમાં જાતિવાદને લઇ ખળભળાટ, ડિવિલિયર્સ, સ્મિથ અને કોચ બાઉચર દોષિત ઠર્યા

આ પણ વાંચો: Omicron: ઓમિક્રોનની આફત વચ્ચે આવ્યો નવો અભ્યાસ, સંશોધકોએ શોધી કાઢ્યો કોરોના રસીની અસર વધારવાનો રસ્તો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">