AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

સોશિયલ મીડિયા પર આતંકવાદ સંબંધિત આવી પોસ્ટને અપડેટ કરવી કે કોમેન્ટ કરવી અથવા શેર કરવી તે આતંકવાદીઓને સમર્થન આપનાર માનવામાં આવશે અને કાયદામાં આવા યુઝર્સ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ
Jammu Kahsmir Police
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:33 PM
Share

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) રાજ્યમાં આતંકવાદને ખતમ કરવા માટે દરેક સંભવિત પ્રયાસો અને વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહી છે જે ચિંતાનો પડકાર બની ગયો છે. પોલીસ ખાસ કરીને એવા સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ્સ પર નજર રાખી રહી છે જે ઘાટીમાં શાંતિ ભંગ કરવા, સાંપ્રદાયિક તણાવ ફેલાવવા, આતંકવાદી અને આતંકવાદ તરફી પોસ્ટ્સ શેર કરવા અને યુવાનોને કટ્ટરપંથી તરફ ધકેલવામાં રોકાયેલા છે.

સૂત્રોનું માનીએ તો સાયબર પોલીસે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ એવા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે જે દેશ વિરોધી અથવા રાજ્ય વિરોધી તત્વો દ્વારા ચલાવવામાં આવતા હતા અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

જમ્મુ અને કાશ્મીર પોલીસે લોકોને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત એક જાહેરાત આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર આતંકવાદ સંબંધિત આવી પોસ્ટને અપડેટ કરવી કે કોમેન્ટ કરવી અથવા શેર કરવી તે આતંકવાદીઓને સમર્થન આપનાર માનવામાં આવશે અને કાયદામાં આવા યુઝર્સ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવા મામલામાં UAPAની કલમ 13 અને 18 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીનગરમાં આતંકવાદી હુમલો

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. હકીકતમાં સંસદ પર હુમલાની 20મી વર્ષગાંઠ પર આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને નિશાન બનાવ્યા જેમાં 2 પોલીસકર્મીઓ શહીદ થયા.

શ્રીનગરની સીમમાં જેવાનમાં આતંકવાદીઓ દ્વારા પોલીસ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બસ જમ્મુ-કાશ્મીરની 9મી બટાલિયન આર્મ્ડ પોલીસની હતી. આતંકવાદીઓએ આ બસ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ પોલીસ જવાન શહીદ થયા હતા અને 12 જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે (Terrorist Group Kashmir Tigers) લીધી હતી.

આ પણ વાંચો: South Africa: દક્ષિણ આફ્રિકન ક્રિકેટમાં જાતિવાદને લઇ ખળભળાટ, ડિવિલિયર્સ, સ્મિથ અને કોચ બાઉચર દોષિત ઠર્યા

આ પણ વાંચો: Omicron: ઓમિક્રોનની આફત વચ્ચે આવ્યો નવો અભ્યાસ, સંશોધકોએ શોધી કાઢ્યો કોરોના રસીની અસર વધારવાનો રસ્તો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">