AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકાથી આવેલા વધુ નવ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવતા ઓમિક્રોન વેરિયન્ટની આશંકાને પગલે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:55 PM
Share

Maharashtra : દક્ષિણ આફ્રિકામાંથી નવા ઓમિક્રોન વેરિયન્ટનો(Omicron Variant)  પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ હવે તે ભારતમાં પણ પ્રવેશ્યો છે. ગુરુવારે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરવામાં આવી છે.જેને પગલે દેશભરમાં ચિંતા વધી છે.10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી(South Africa)  મુંબઈ આવેલા વધુ નવ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, Omicron વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા

દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ 9 મુસાફરોમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં અગાઉની જેમ ગાઈડલાઈનમાં (Corona Guidelenes) કડકાઈ કરવામાં આવી છે.

જોખમને અટકાવવા માટે તંત્ર સતર્ક

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednkar) કહ્યું કે, યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને પહેલાથી જ ક્વોરેન્ટાઈન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મુંબઈના મેયરે કહ્યું કે કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ ફિલ્ડ હોસ્પિટલ, ઓક્સિજન બેડ અને આઈસીયુ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે સરકાર સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

વિદેશથી આવતા પ્રવાસીઓને એક સપ્તાહ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે

મેયર કિશોરી પેડનેકરે દાવો કર્યો હતો કે, મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સાથે સંબંધિત એક પણ કેસ મળ્યો નથી.તેમ છતાં, વિદેશથી આવતા મુસાફરોને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ક્વોરેન્ટાઇન બાદ ફરીથી મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. BMCના(Bombay Municipal Corporation) એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, ગયા અઠવાડિયે લગભગ એક હજાર મુસાફરો આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા હતા.

આ પણ વાંચો : ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">